Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadછૂટછાટ મળતાં લોકો નિયમ ભૂલ્યા, બજારોમાં ભીડ વધતાં સંક્રમણનો ખતરો

છૂટછાટ મળતાં લોકો નિયમ ભૂલ્યા, બજારોમાં ભીડ વધતાં સંક્રમણનો ખતરો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ : દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની બીજી લહેરમાં ઘટાડો આવી રહ્યો છે. દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ પોઝિટિવ કેસના મુકાબલે સાજા થનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં સુધારાની સ્થિતિને જોતાં રૂપાણી સરકાર દ્વારા સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની છુટ આપવામાં આવી હતી. જેથી લોકોના વેપાર ધંધા પાટા પર આવી શકે. પરંતુ એકવાર ફરી સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટથી લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે નિયંત્રણોમાં ઘટાડો લાવતાં જ લોકોને લાગી રહ્યું ચેહ કે કોરોના જતો રહ્યો અને માસ્ક વિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના બજારમાં નિકળી પડ્યા છે. અમદાવાદના બજારમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે કે જાણો કોરોના જતો રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રવિવારે સવારે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. જ્યાં કોઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યું ન હતું. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું હતું, પરંતુ તે પણ નાકની નીચે અને મોંઢાની નીચે. આ બજારમાં વડીલો અને યુવાનો તથા બાળકો પણ જોવા મળ્યા હતા. એક તરફ ત્રીજી લહેરની વાત થઇ રહી છે. જે બાળકો માટે ખતરનાક છે, તેમછતાં ઘણા લોકો પોતાના બાળકો સાથે બજાર પહોંચ્યા હતા. એક તરફ લોકો દ્વારા તંત્ર કશું કરી રહ્યું નથી એવી ફરિયાદ કરે છે. તો બીજી તરફ લોકો બેજવાબદાર બનીને ફરે છે, આ બેદરકારી ફરી એકવાર કોરોનાના સંક્રમણનો ખતરો વધારી શકે છે.જ્યાં સુધી નાગરિકો પોતે નહી સમજે ત્યાં સુધી આ મહામારીને રોકવી અસંભવા છે. તંત્રએ પણ કહ્યું છે કે છૂટ મળવાનો અર્થ દિશા-નિર્દેશોનું ઊલ્લંઘન નથી. જોકે ઘણા વિસ્તારોની દુકાનોમાં લગ્નની સિઝન હોવાછતાં કોઇ ભીડ જોવા મળી રહી નથી અને વેપારીઓ બિલકુલ નવારા બેઠ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here