Monday, September 7, 2026
HomenationalParliament Session Live: રાજ્યસભામાં 12 વિપક્ષી સાંસદનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય

Parliament Session Live: રાજ્યસભામાં 12 વિપક્ષી સાંસદનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે તે માટે સસ્પેન્ડેડ સાંસદોએ પોતાની ગેરવર્તણૂક માટે માફી માંગવી પડશે. શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ.

સભાપતિએ કહ્યું- સસ્પેન્શન પાછું નહીં  ખેંચાય
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય. તેમણે કહ્યું કે સાંસદ પોતાના પર પશ્ચાતાપ કરવાની જગ્યાએ તેને ન્યાયોચિત ઠેરવવા પર તુલ્યા છે. આવામાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો સવાલ જ નથી ઉઠતો. અત્રે જણાવવાનું કે આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ  થતા જ ખડગેએ કહ્યું કે નિયમોનો  હવાલો આપીને સાંસદોના સંસ્પેશનનો કોઈ આધાર નથી આથી આ નિર્ણય પાછો ખેંચાવવો જોઈએ. ખડગેએ તમામ 12 વિપક્ષી સાંસદોને સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. ત્યારબાદ સભાપતિએ કહ્યુંકે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહતી, પરંતુ ગૃહની હતી. સભાપતિએ કહ્યું કે રાજ્યસભા નિરંતર ચાલતું ગૃહ છે. તેનો કાર્યકાળ ક્યારેય ખતમ થતો નથી. રાજ્યસભાના સભાપતિને સંસદીય કાનૂનની કલમ 256, 259, 266 સહિત અન્ય કલમો હેઠળ અધિકાર મળ્યા છે કે તે કાર્યવાહી કરી શકે છે અને ગૃહ પણ કાર્યવાહી કરી શકે છે. ગઈ કાલની કાર્યવાહી સભાપતિની નહીં પરંતુ ગૃહની હતી. ગૃહમાં આ અંગે પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેના આધારે કાર્યવાહી કરાઈ છે. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here