Wednesday, May 21, 2025
HomePoliticsModiકર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા...

કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

હુમનાબાદ : કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.  પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો અને ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરી રહ્યા છે. રાજ્યમાં પ્રચાર માટે હુમનાબાદમાં જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે, “આ કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની ચૂંટણી છે. કોંગ્રેસ અને જેડીએસ ખેડૂતો વિરોધી છે. કર્ણાટકના લોકોને પીએમ મોદીએ કહ્યું કે પહેલા તમારી સાથે લોન માફીના નામે  છેતરપિંડી કરવામાં આવી હતી. એટલા માટે હવે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર જરૂરી થઈ ગઈ છે.”પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે કર્ણાટકની ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માટે નથી, પરંતુ તે રાજ્યને દેશમાં નંબર વન બનાવવા માટે પણ છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર યથાવત્ રહે તે જરૂરી છે. રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર એટલે ડબલ સ્પીડ. કર્ણાટકમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત છે. રાજ્યમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. હુમનાબાદ રેલી પછી, પીએમ મોદી વિજયપુરા જશે, જ્યાં તેઓ બપોરે 1 વાગ્યે બીજી જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેરસભાને સંબોધિત કર્યા બાદ તેઓ બેલાગવી જિલ્લાના કુડાચી જશે. પીએમ મોદી લગભગ પોણા બે વાગ્યે ત્યાં લોકોને સંબોધિત કરશે. બાદમાં પીએમ મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરવા માટે રવાના થશે. બેંગલુરુમાં રાજભવનમાં રાત્રિના આરામ કર્યા પછી તેઓ જાહેર સભાઓ કરવા માટે રવિવારે સવારે કોલાર, રામનગર જિલ્લાના ચન્નાપટના અને હાસન જિલ્લાના બેલુર જશે. વડાપ્રધાન રવિવારે મૈસુરમાં રોડ શો પણ કરશે. કાર્યક્રમ બાદ તેઓ મૈસૂરથી દિલ્હી જવા રવાના થશે.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here