Saturday, July 18, 2026
HomePoliticsModiકર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા...

કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

હુમનાબાદ : કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.  પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો અને ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરી રહ્યા છે. રાજ્યમાં પ્રચાર માટે હુમનાબાદમાં જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે, “આ કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની ચૂંટણી છે. કોંગ્રેસ અને જેડીએસ ખેડૂતો વિરોધી છે. કર્ણાટકના લોકોને પીએમ મોદીએ કહ્યું કે પહેલા તમારી સાથે લોન માફીના નામે  છેતરપિંડી કરવામાં આવી હતી. એટલા માટે હવે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર જરૂરી થઈ ગઈ છે.”પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે કર્ણાટકની ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માટે નથી, પરંતુ તે રાજ્યને દેશમાં નંબર વન બનાવવા માટે પણ છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર યથાવત્ રહે તે જરૂરી છે. રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર એટલે ડબલ સ્પીડ. કર્ણાટકમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત છે. રાજ્યમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. હુમનાબાદ રેલી પછી, પીએમ મોદી વિજયપુરા જશે, જ્યાં તેઓ બપોરે 1 વાગ્યે બીજી જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેરસભાને સંબોધિત કર્યા બાદ તેઓ બેલાગવી જિલ્લાના કુડાચી જશે. પીએમ મોદી લગભગ પોણા બે વાગ્યે ત્યાં લોકોને સંબોધિત કરશે. બાદમાં પીએમ મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરવા માટે રવાના થશે. બેંગલુરુમાં રાજભવનમાં રાત્રિના આરામ કર્યા પછી તેઓ જાહેર સભાઓ કરવા માટે રવિવારે સવારે કોલાર, રામનગર જિલ્લાના ચન્નાપટના અને હાસન જિલ્લાના બેલુર જશે. વડાપ્રધાન રવિવારે મૈસુરમાં રોડ શો પણ કરશે. કાર્યક્રમ બાદ તેઓ મૈસૂરથી દિલ્હી જવા રવાના થશે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here