Sunday, September 29, 2024
Homenationalકર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- 'અમે પહેલા જ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

Date:

spot_img

Related stories

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ...

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...
spot_img

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ વૈભવ કાલેનું મૃત્યુ થયું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વચ્ચે આ પહેલી ઘટના છે જ્યારે કોઈ ભારતીયને જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને લઈને ભારતે ચિંતા પણ વ્યક્ત કરી છે. વૈભવ કાલેના મૃતદેહને ભારત લાવવાની તૈયાર થઈ રહી છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)એ મહત્વના ખુલાસા કર્યા છે, જેનાથી આ ઘટનામાં ઈઝરાયલની સેનાની ભૂલ નજરે આવે છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા રોલાન્ડો ગોમેજે કહ્યું કે, ‘યુએને પહેલા જ ઈઝરાયલને જણાવી દીધું હતું કે આ વિસ્તારમાં અમારો કાફલાની મૂવમેન્ટ હોય શકે છે.’
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે, ‘યુએને ઈઝરાયલી ઓથોરિટીઝને પોતાના કાફલાની મુવમેન્ટ્સ અંગે જણાવી દીધું હતું. કોઈ પણ મામલે આવું થાય છે. આ સ્ટાન્ડર્ટ પ્રોટોકોલ છે. એવું જ કાલે પણ થયું હતું અને અમે ઈઝરાયલ ઓથોરિટીઝને માહિતી આપી હતી. એટલું જ નહીં અમારા કાફલાની ગાડીઓમાં એ પણ લખ્યું હતું કે આ યુએનના વાહન છે.’ ત્યારે ઈઝરાયલનું કહેવું છે કે, ‘અમને આ અંગે કોઈ માહિતી નથી. અમે આ મામલાની તપાસ કરીશું. વૈભવ કાલેના મોતની સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકન વિદેશ મંત્રાલયે નિંદા કરી છે અને ઈઝરાયલ પર આરોપ લગાવ્યો છે.’
ત્યારે, ન્યૂયોર્કમાં ભારતના સ્થાયી મિશનને પણ કર્નલ કાલેના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઈને કહ્યું કે, ‘કાલે જે થયું છે, તે ચિંતાજનક છે. ગાઝામાં યુએનના વાહન પર હુમલાને લઈને અમે ચિંતિત છીએ. આ ઘટનામાં એક સહાયતાકર્મીનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત છે.’
અમેરિકન પ્રવક્તાએ કહ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્રના લોકોની સુરક્ષા થવી જોઈએ. તે લોકો જીવન રક્ષામાં લાગ્યા છે. અમે આ ઘટનાની સમગ્ર તપાસની માંગ કરીએ છીએ. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પોતાના વાહન પર થયેલા હુમલાની તપાસનો નિર્ણય લીધો છે.’
ભારતીય પૂર્વ સૈન્ય અધિકારી વૈભવ કાલે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સુરક્ષા વિંગમાં કામ કરી રહ્યા હતા. તેઓ પોતાના એક સહકર્મીની સાથે રાફાની એક હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર હુમલો થયો. જેમાં તેમના એક સાથી પણ ઈજાગ્રસ્ત થયા. જણાવી દઈએ કે, રાફામાં હવે ઈઝરાયલ ઘણું અંદર સુધી ઘુસી ગયું છે. જેને લઈને અંદાજિત સાડા ચાર લાખ લોકો પલાયન કરી ચૂક્યા છે.

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ...

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here