Friday, June 26, 2026
HomeAhmedabadઅમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી, સ્વચ્છતા અને મુસાફરીમાં...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી, સ્વચ્છતા અને મુસાફરીમાં લાવશે પરિવર્તન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને વંદે ભારત જાહેરાતો માટે ઈ-ઓક્શન દ્વારા ત્રણ વર્ષના કરાર જારી કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગે આવકના નવા સ્ત્રોતોમાં વધારો કરવા અને પરિચાલન કાર્યક્ષમતા સુધારવા ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, 1 જૂન 2026ના રોજ ત્રણ મહત્વપૂર્ણ ઈ-ઓક્શન (e-auction) કરારો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 3 વર્ષની અવધિ માટે આપવામાં આવેલા આ કરારો મુસાફર સુવિધા, માલ પરિવહન લોજિસ્ટિક્સ અને પ્રીમિયમ બ્રાન્ડિંગ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે, જે મળીને ₹4.47 કરોડની બિન-ભાડા આવક (Non-Fare Revenue-NFR) પ્રદાન કરશે. આ ટેન્ડરો દ્વારા રેલવે પ્રશાસને કોઈપણ મૂડીરોકાણ અથવા વધારાના સંચાલન ખર્ચ વિના રેલવેની તિજોરીમાં કુલ ₹4.47 કરોડનું સીધું આર્થિક યોગદાન સુનિશ્ચિત થયું છે.

1. મુસાફરીના અનુભવમાં પરિવર્તન: ટ્રેન સાઇડ વેન્ડિંગ (ટ્રેનની અંદર વેચાણ) – (કરાર આવક: ₹3.72 કરોડ)

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં ‘ટ્રેન સાઇડ વેન્ડિંગ’ કરારનો મુખ્ય હેતુ મુસાફરો માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુવિધાજનક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.
• મુસાફરો માટે ઉત્તમ સુવિધા: હવે મુસાફરોને મુસાફરી દરમિયાન તેમની બેઠક પર જ જરૂરી દૈનિક ઉપયોગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટિશ્યૂ, સેનેટરી પેડ, ડાયપર, સમાચારપત્રો, સામાયિકો, મોબાઇલ ચાર્જર, ઇયરફોન અને રમકડાં જેવી વસ્તુઓનો સમાવેશ થશે.
• મુસાફરોના હિતોની સુરક્ષા: મુસાફરો પાસેથી વધુ કિંમત વસૂલાતી અટકાવવા માટે તમામ ઉત્પાદનોનું વેચાણ ફરજિયાત રીતે મહત્તમ રિટેલ ભાવ (MRP) પર જ કરવામાં આવશે. ઉપરાંત, બિલ/રસીદ આપવી ફરજિયાત રહેશે અને કોઈપણ સમાપ્ત અવધિ (Expired) થયેલ અથવા અનધિકૃત ઉત્પાદનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
• વધુ સારી સુરક્ષા વ્યવસ્થા: અનધિકૃત ફેરિયાઓ (ગેરકાયદેસર વેન્ડરો) પર નિયંત્રણ રાખવા માટે આ પ્રણાલી હેઠળ પ્રતિ ટ્રેન વધુમાં વધુ ચાર (4) વેન્ડરોને જ મંજૂરી આપવામાં આવશે. આ તમામ વેન્ડરો સંપૂર્ણપણે ચકાસાયેલા હશે, નિર્ધારિત યુનિફોર્મ અને બેચ પહેરેલા હશે તેમજ તેમની પાસે QR કોડ આધારિત ઓળખપત્ર હશે.
• ડિજિટલ એકીકરણ: મુસાફરોને મુસાફરી દરમિયાન ઓનલાઈન ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેના કારણે તેમનો મુસાફરીનો અનુભવ વધુ સરળ અને સુગમ બનશે.

2. મૂળભૂત ઢાંચાની મજબૂતી: માલિયા (MALB) ગુડ્સ શેડમાં વેગન સફાઈ (કરાર આવક: ₹0.57 કરોડ)

માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ માટેનો આ કરાર આત્મનિર્ભર મોડેલ પર આધારિત છે, જે રેલવેના ખર્ચમાં ઘટાડો કરવાની સાથે કાર્યસ્થળની સ્થિતિમાં પણ સુધારો કરે છે.
• રેલવેના ખર્ચમાં બચત: વેગનો અને ગુડ્સ શેડ પરિસરની સફાઈનો સંપૂર્ણ ખર્ચ કોન્ટ્રાક્ટર દ્વારા જ વહન કરવામાં આવશે, જેના કારણે રેલવેના પોતાના સફાઈ ખર્ચમાં સીધી બચત થશે.
• ટ્રેક અને વેગનની લાંબુ આયુષ્ય: કોલસો અને અન્ય અવશેષ સામગ્રીની નિયમિત સફાઈથી વેગનો અને ટ્રેકનું આયુષ્ય (લાઇફસ્પાન) વધશે. ઉપરાંત, ગુડ્સ શેડ પરિસરમાં કચરો એકત્ર થતો અટકશે, જેના કારણે કર્મચારીઓ માટે વધુ સુરક્ષિત કાર્યસ્થળનું નિર્માણ થશે.
• ટકાઉ વ્યાવસાયિક મોડેલ: આ કરાર હેઠળ કોન્ટ્રાક્ટરને સફાઈ દરમિયાન નીકળતા અવશેષો (જેમ કે કોલસો) એકત્રિત કરીને તેનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરિણામે, આ મોડેલ કોન્ટ્રાક્ટર માટે પણ આર્થિક રીતે વ્યવહારુ અને લાંબા ગાળે ટકાઉ રહેશે.

3. બ્રાન્ડિંગને નવો આયામ: વંદે ભારત હેડ રેસ્ટ કવર પર જાહેરાત (કરાર આવક: ₹0.18 કરોડ)

દેશની પ્રીમિયમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતાનો લાભ લેતા, આ કરાર હેઠળ કોચની અંદર ઉપલબ્ધ જગ્યાનો ઉપયોગ બ્રાન્ડ દૃશ્યતા માટે કરવામાં આવશે.
• આકર્ષક અને આધુનિક દેખાવ: બ્રાન્ડેડ હેડ રેસ્ટ કવર્સથી ટ્રેનના કોચની અંદરનું વાતાવરણ વધુ સ્વચ્છ, એકરૂપ અને વ્યાવસાયિક દેખાશે, જે મુસાફરોના પ્રવાસને વધુ આરામદાયક બનાવશે.
• જાહેરાતદાતાઓ અને રેલવે બંનેને લાભ: જાહેરાતદાતાઓને મુસાફરી દરમિયાન મુસાફરોના મોટા વર્ગ સુધી સીધી પહોંચ મેળવવાની તક મળશે. સાથે જ રેલવે મુસાફરોના આરામને અસર કર્યા વગર પોતાની ખાલી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીને આવક મેળવી શકશે.

ઈ-ઓક્શન દ્વારા અપનાવવામાં આવેલી આ બહુઆયામી વ્યાપારી વ્યૂહરચના અમદાવાદ મંડળની આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આથી રેલવેને માત્ર મહત્વપૂર્ણ બિન -ભાડા આવક પ્રાપ્ત થઈ રહ્યો છે, પરંતુ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને કામગીરીની સ્વચ્છતામાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.
***

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here