રાજ્ય સરકારે HCમાં કહ્યું અલ્પેશને જામીન ન આપો, કથીરિયાની જેલમાં જશે દીવાળી

0
39
/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-high-court-upheld-decision-on-alpesh-kathiriya-bail-next-hearing-on-19-november-gujarati-news-5
/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-high-court-upheld-decision-on-alpesh-kathiriya-bail-next-hearing-on-19-november-gujarati-news-5

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ઉજવવી પડશે. અલ્પેશના જામીન મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. આ મામલે હવે 19 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. જેને કારણે અલ્પેશ કથીરિયાને જેલમાં જ દીવાળી ઉજવવી પડશે. તેમજ ગુજરાત સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. તેને જામીન ના આપો.

અલ્પેશના વકીલે કહ્યું-સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા

ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, રાજદ્રોહ નથી કર્યો. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું.

અલ્પેશ અને તેના સાથીદારોએ ગુજરાતને બાનમાં લીધું હતું: રાજ્ય સરકાર

બીજી તરફ સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે રજૂઆત કરી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. હિંસા તેમજ તોડફોડ થઈ હતી. ભડકાઉ ભાષણો આપ્યા હતાં. ટેલિફોનિક કન્વર્ઝેશનના રેકોર્ડિંગ હોવાની સરકાર તરફથી રજૂઆત થઈ હતી.ઉલ્લેખનીય છે કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ દાખલ થઈ નથી, ત્યારે અલ્પેશને હાલ જામીન ના આપવા જોઈએ તેવી સરકારે રજૂઆત કરી હતી. હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ 19મીએ શું ચૂકાદો આપે છે, તેના પર સૌની નજર રહેશે.