Sunday, April 20, 2025
HomeGujaratખેડુતો અને ગરીબો માટે જસદણમાં આવ્યો છું: નવજોતસિંહ સિદ્ધૂ

ખેડુતો અને ગરીબો માટે જસદણમાં આવ્યો છું: નવજોતસિંહ સિદ્ધૂ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા જસદણમાં કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુની જાહેર સભા યોજવામાં આવી જેમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂએ સરકારને નિશાને લીધી.

કોંગ્રેસના નેતા અવસર નાકિયાના સમર્થનમાં આયોજીત રેલીમાં નવજોતસિંહ સિદ્ધૂએ પંજાબી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, ખેડુતો અને ગરીબો માટે જસદણમાં આવ્યો છું. મતદારોમાં ઉમંગ ભરવા આવ્યો છુ. તેમણે કહ્યું કે, હવે ગુજરાતની પાઘડી બચાવવાનો સમય આવી ગયો છે.

તેમણે ભાજપના ઉમેદવાર પર આક્ષેપો કરતા કરતા કહ્યું કે, બાવળિયા પાસે પૈસા સંપત્તી હશે પણ અવસર પાસે લોકોના પ્રેમ અને વિશ્વાસ છે. ભાજપના લોકો તમને રૂપિયા અને દારૂથી ખરીદવાનો પ્રયાસ કરશે પરંતુ તમારો મત ગુજરાત માટે અને કોંગ્રેસ માટે આપજો.

પેટ્રોલની વધતી કિંમતો પર તેમણે કટાક્ષ કરી કહ્યું કે, પેટ્રોલ પુરાવતી વખતે પેટ્રોલ પંપ પર વડાપ્રધાનનો હસતો ચહેરો બળ્યા પર મીઠું ભભરાવનાનું કામ કરે છે. તેમણે કહ્યું, ન રૂપાણી બચશે, ન મોદી બચશે. બૂરે દિન જાને વાલે હૈ, રાહુલ ગાંધી આને વાલે હૈ.

તેમણે ખેડુતો મુદ્દે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં કપાસના ભાવ 1400 હતા પરંતુ અત્યારે કપાસના ભાવ 900 રૂપિયા જ છે. નરેન્દ્ર મોદીએ ફક્ત દેશમાં જુઠાણું ફેલાવ્યું છે. ભાજપના લોકો પાસે સત્ય બોલાવવું અશક્ય છે. દેશના ખેડુતોને કેન્દ્ર સરકારે માત્ર લોલીપોપ આપ્યો છે. દેશનો રાજા ખેડુત છે રાજનેતા નહી. તેમજ આ સિવાય મોદી લહેરને તેમણે કહેર ગણાવી હતી. કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂએ આ સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ નિશાને લીધાં હતા. તેમજ વિજય માલ્યા મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here