Friday, May 30, 2025
HomeGujaratAhmedabadPM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ વખતે બધું કેમેરા...

PM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ વખતે બધું કેમેરા સામે કર્યું જેથી કોઈ પુરાવા ન માંગે

Date:

spot_img

Related stories

તંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત...

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ...

ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

એક સમયે પશ્ચિમી સ્પેશિયાલિટી ગણાતી ક્રેનબેરીને હવે ભારતીય કિચનમાં,...

લીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં...

ફોક્સવેગને આજે ભારતમાં બહુપ્રતિક્ષિત ગોલ્ફ જીટીઆઈ માટે કિંમત જાહેર...

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા...

આજે કથારંભ પૂર્વે શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત...

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, બે કલાકમાં 450 જેટલાં...

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે,...
spot_img

પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે. આ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ગાંધીનગરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો બાદ તેમણે મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારંભમાં જનમેદનીને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહ્યો છે. હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહ્યું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવો દ્રશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે. શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.’વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરતા કહ્યું કે, ‘વર્ષ 1947માં મા ભારતીના ટુકડા થયા, ત્યારે સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી. દેશના 3 ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત કોઈએ માની નહીં. આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો 75 વર્ષથી ચાલ્યો આવે છે. પહલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. 75 વર્ષ સુધી આપણે સહન કરતા રહ્યા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.

અલગ અલગ જિલ્લામાંથી લોકોનું આગમન શરૂ

મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો

તંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત...

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ...

ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

એક સમયે પશ્ચિમી સ્પેશિયાલિટી ગણાતી ક્રેનબેરીને હવે ભારતીય કિચનમાં,...

લીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં...

ફોક્સવેગને આજે ભારતમાં બહુપ્રતિક્ષિત ગોલ્ફ જીટીઆઈ માટે કિંમત જાહેર...

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા...

આજે કથારંભ પૂર્વે શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત...

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, બે કલાકમાં 450 જેટલાં...

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here