
ખજૂરને મોટા ભાગે કુદરત ની મીઠાઇ કહેવામાં આવે છ.ે ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને દરેક વયના લોકો માટે તે એક ઉત્તમ આહાર પુરવાર થયો છ.ે આયુર્વેદમાં ખજૂરને મધુરપૌષ્ટિક, બલવર્ધક, શ્રમહારક,સંતોષ આપનાર, પિત્તનાશક, વીર્યર્ધ અને શીતલ ગુણો વાળો કહેવામાં આવે છે. ખજૂરમાં વિટામિન, પ્રોટીન, ફાબિર, કાર્બોહાઇડ્રેટ અને સર્કરા સમાયેલા હોવાથી તેને પૂર્ણ આહાર કહેવામાં આવે છે. ખજૂરમાં વિટામિન એ સમાયેલું છે જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે.જ્યારે વિટામિન બી હૃદય માટે લાભદાયી નીવડે છે. તેના સેવનથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે અને ભૂખ વધે છે. વિટામિન સી રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. ખજૂરનું સેવન ટીબીના રોગીઓની દુર્બળતા દૂર કરે છે તેને બળ પ્રદાન કરે છે. તે ધાતુવર્ધક તથા કફનાશક છે. રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ ઓછી થઇ જવાથી વધુ પડતો થાક, ગભરામણ, હૃદયની ધડકન તેજ થવી જેવી તકલીફો થાય છે. એામાં ૨૧ દિવસ સુધી નિયમિત ચારથી પાંચ ખજૂર ખાવાથી ફાયદો થાય છે. લાંબા સમયથી એનીમિયાથી પીડાતી વ્યક્તિએ છ મહિના સુધી આહારમાં સાત થી આઠ ખજૂરનું સેવન કરવું જોઇએ. ગઠિયા રોગમાં ખજૂરનું સેવન ગુણકારી સાબિત થયું છ.ે પગમાં થતા દુખાવા તેમજ દુર્બળતા માટે એક કપ ગરમ દૂધમાં એક ચમચો ગાયનું ઘી અને એક બે-ત્રણ ખજૂર ભેળવીને ગરમ-ગરમ પીવું.ખજૂરનું સેવન પાચનક્રિયાને સુધારે છે. તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાંના ગેસ અને અપચાથી રાહત આપે છ.ે ખજૂરમાં ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ, કૈરોટીનોયડ, ફેનોલિક એસિડ જેા એન્ટી ઓક્સીડન્ટ જેવા સ્ત્રોત માયેલા બોય છે. જે રોગ સામે લડવા અને વ્યક્તિના સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં મદદ કરે છે.


