Saturday, August 15, 2026
HomeIndiaલોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલ : ભારતમાં અત્યારે કેટલી છે બેરોજગારી? સરકારે...

લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલ : ભારતમાં અત્યારે કેટલી છે બેરોજગારી? સરકારે સંસદમાં બતાવ્યા આંકડા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સોમવારે (3 ફેબ્રુઆરી, 2025) કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી કે છેલ્લા 6 વર્ષોમાં દેશમાં બેરોજગારી દર લગભગ 50 ટકા ઘટ્યો છે. રોજગાર અને બેરોજગારી પર સત્તાવાર આંકડા સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (પીએલએફએસ) ના માધ્યમથી એકત્ર કરવામાં આવે છે. સર્વેનો સમયગાળો દર વર્ષે જુલાઈથી જૂન હોય છે. તાજેતરના રિપોર્ટ અનુસાર 15 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે સામાન્ય સ્થિતિ પર અંદાજિત બેરોજગારી દર (યુઆર) 2017-18માં 6.0% થી ઘટીને 2023-24માં 3.2% થઈ ગયો છે. બેરોજગારી દર ઘટાડવા માટે સરકારની રોજગાર નિર્માણની સાથે-સાથે રોજગાર ક્ષમતામાં સુધારો કરવો જ પ્રાથમિકતા છે. તેને ધ્યાનમાં રાખતા વિભિન્ન રોજગાર નિર્માણ યોજનાઓ/કાર્યક્રમોના માધ્યમથી નોકરીની તકો પેદા કરવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી), આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાઈ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (એમજીએનઆરઈજીએસ), દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુજીકેવાઈ), ગ્રામીણ સ્વરોજગાર અને તાલીમ સંસ્થાન (આરએસઈટીઆઈ), સ્ટેન્ડઅપ ઈન્ડિયા, દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ડીએવાઈ-એનયુએલએમ), પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાઈ), પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટિવ (પીએલઆઈ), મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયાનો હેતુ રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.સરકાર વિભિન્ન યોજનાઓના માધ્યમથી કૌશલ્ય વિકાસ કેન્દ્રો, સ્કુલો, કોલેજો અને સંસ્થાઓ વગેરેના વ્યાપક નેટવર્કના માધ્યમથી સ્કિલ, પુન:કૌશલ્ય અને અપ-કૌશલ્ય તાલીમ આપવા માટે સ્કિલ ઈન્ડિયા મિશન (સિમ) લાગુ કરી રહી છે. આઈટીઆઈના માધ્યમથી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, જન શિક્ષણ સંસ્થાન અને શિલ્પકાર તાલીમ યોજના (સીટીએસ) ચલાવવામાં આવી રહી છે. સિમનો હેતુ ભારતના યુવાનોને ઉદ્યોગ માટે જરૂરી કૌશલ્યની સાથે તૈયાર કરીને તેમને ભવિષ્ય માટે સક્ષમ બનાવવાનો છે.આ સિવાય, સરકારે બજેટ 2024-25માં 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા માટે 5 યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 2 લાખ કરોડ રૂપિયાનો કેન્દ્રીય ખર્ચ સામેલ છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here