Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં ઔદ્યોગિક દુર્ઘટનામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 989 કામદારો મૃત્યું પામ્યા છે:...

રાજ્યમાં ઔદ્યોગિક દુર્ઘટનામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 989 કામદારો મૃત્યું પામ્યા છે: Gujarat Congress

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ: રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક જીવલેણ અકસ્માતો xપ્રદૂષણના લીધે નાગરિકોના જીવન સામે જોખમ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય, સાંસદની સત્યતા શોધક સમિતિની રચના કરવામાં આવી છે . આ સમિતિ શ્રમિકોના ન્યાય માટે લડત કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 31,500થી વધુ ફેક્ટરીઓ છે. જે 16.93 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં સૌથી વધુ કામદારોના મૃત્યુ થયા છે. મોટાભાગના કામદારો ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત છે. સચિન જીઆઈડીસીમાં લગભગ 50 ટેક્સટાઈલ ડાઈંગ અને પ્રિન્ટીંગ મિલો અને 40થી વધુ કેમિકલ યુનિટ અને કેટલાક પાવર લૂમ યુનિટ છે.  અહેવાલો દર્શાવે છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આશિર્વાદથી ફરજિયાત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોખમી કેમિકલની ટ્રીટમેન્ટ કર્યા વિના ઝેરી રાસાયણિક કચરાથી ભરેલી 5-6 થી વધુ ટ્રકો ગેરકાયદેસર રીતે દરરોજ શહેરના ગટરોમાં ખાલી કરવામાં આવે છે. યુનિટના માલિકો અને જીઆઈડીસી સત્તાધીશો વચ્ચેની સાંઠગાંઠને કારણે સત્તાવાળાઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે.વધુમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષએ ઔદ્યોગિક સલામતિ, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાના કન્વીનર પદે ધારાસભ્યઓ, સંસદસભ્યઓ સહિત વરિષ્ઠ આગેવાનોની સત્યતા શોધકટીમની રચના કરી છે. તેઓ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત પરિવારો અને અસરકર્તા અન્ય નાગરિકો, સ્થાનિક આગેવાનોની મુલાકાત લેશે અને મુલાકાતના આધારે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સાત દિવસમાં કોંગ્રેસ પક્ષને સુપ્રત કરશે.જેના આધારે કોંગ્રેસ પક્ષ ન્યાયની માંગણી અને કાયદાકીય જોગવાઈઓના યોગ્ય અમલીકરણ માટે જે જરૂરી હશે તે લડત આપશે. ઉદ્યોગો એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, પરંતુ આ રસાયણોની હાનિકારક અસરોને કારણે લાખો ગુજરાતીઓનું રોજિંદુ જીવન જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવામાં આવે તે મહત્વનું છે. યોગ્ય પ્રક્રિયા ન કરાયેલ રાસાયણિક કચરો ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરી રહ્યો છે અને ગુજરાતીઓમાં ઘણા લાંબાગાળાના રોગોમાં વધારો કરી રહ્યો છે.

ઔદ્યોગિક દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યું પામ્યા છે. આ મૃત્યુમાં 42 ટકા જેટલો હિસ્સો ઉત્તરમાં મહેસાણાથી દક્ષિણમાં વાપી સુધીના “ગોલ્ડન કોરિડોર” પર સ્થિત સુરત, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં કાર્યરત ફેક્ટરી કામદારોના મૃત્યુનો છે.

રાજ્યમાં સાબરમતી, તાપી, વિશ્વામિત્રી સહિત 20 કરતા વધુ નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે. પ્રદૂષિત પાણીના કારણે માનવ જીંદગીની સાથોસાથ ખેડૂતો અને ખેતી બન્ને મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. પશુધનને મોટી મુશ્કેલી છે તેમ છતાં ભાજપ સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભિર પગલા ભરવામાં આંખ આડા કાન કરી રહી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here