Saturday, July 25, 2026
HomeAhmedabad500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી; કોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશે

ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોટેરાએ શહેરના રમતગમત અને શહેરી ભવિષ્યના કેન્દ્રબિંદુ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટેના સપનાઓ પોષી રહ્યું છે ત્યારે આ જમીન પાછી મળવી મહત્વપૂર્ણ છે.ધાર્મિક ઉપયોગ માટે આપેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરી ગઈ કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલાં માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ હતી. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. આશ્રમને અનેક વખત નોટિસ અપાઈ રાજ્ય સરકાર તરફથી હાજર થયેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે આ કોઈ અચાનક લેવામાં આવેલ પગલું કે વહીવટી અતિશયતા નથી. પરંતુ ન્યાયસંગત, ધીરજ યુક્ત નિર્ણય પ્રક્રિયાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આશ્રમને કાયદેસર જરૂરી કરતાં પણ વધુ વખત નોટિસ આપવામાં આવી, એક પછી એક સુનાવણીઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે જાહેર જમીનને ઇંચે ઇંચે અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય હોઈ શકે નહીં. 30થી વધુ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરાઈ હતી જમીનના દુરુપયોગ અંગે જાહેર ચિંતા વધતાં સત્તાવાળાઓએ પણ પગલાં લીધા હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્થિત આશ્રમમાં આવેલી 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ખાસ કરીને આવા સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here