
ઉત્તર પ્રદેશના મથુરામા મંગળવારે સવારે મહાવન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોમાં માતા-પિતા, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.મહાવન તાલુકાના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં મનીષ (35), તેની 30 વર્ષીય પત્ની , અઢી વર્ષનો દિકરો પંકજ તેમજ પુત્રી પ્રિયાંશી (ચાર વર્ષ) અને હની (પાંચ વર્ષ)નો સમાવેશ થાય છે. પાડોશીની માહિતીને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સોમવાર મોડી સાંજે મનીષ દૂધ લાવ્યો હોવાનું જણાવાયું છે. એવી શંકા છે કે દૂધમાં ઝેર હતું. ગ્રામજનો હાલમાં કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. એસપી ગ્રામીણ સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, ગ્રામજનોના અહેવાલ બાદ પોલીસ ખપ્પરપુર ગામમાં પહોંચી હતી. એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયા છે.એક પિતા, પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પંચનામા (તપાસ રિપોર્ટ) તૈયાર કરવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.


