Saturday, July 25, 2026
HomenationalBudget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી...

Budget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે ઘર ખરીદનાર લોકોને મોટી ભેટ આપી શકે છે. નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરવામાં આવશે. આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અર્થતંત્ર કોરોના મહામારી ના મારથી ઊભું થવાનો પ્રાયસ કરી રહ્યું છે. આ બજેટમાં સરકાર ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act)ની કલમ 80સી હેઠળ લોનની મૂળ રકમ ચૂકવવા પર મળતા ટેક્સ રાહતની વાર્ષિક મર્યાદા 1.5 લાખ રૂપિયામાંથી વધારીને 2 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. 80સી હેઠળ મળતી છૂટની મર્યાદામાં છેલ્લે 2014ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મર્યાદા જેમની તેમ છે. આથી આ મર્યાદામાં ફેરફાર કરવાની જોરશોરથી માંગણી કરવામાં આવી રહી છે.

શું છે કલમ 80સી?

ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ હોમ લોન લેનારા લોકોને લોનની મૂળ રકમ ચૂકવવા પર ટેક્સ વળતર મળે છે. જોકે, આ કલમ હેઠળ મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સ્કીમ (ELSS), પીપીએફ (PPF) અને NSC સહિત અન્ય યોજના પણ આવે છે. જેમાં રોકાણ કરીને ટેક્સમાં રાહત મેળવી શકાય છે. હાલ આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. આ કલમ હેઠળ કરદાતા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સની બચત કરી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે હોમ લોન પ્રિન્સિપાલ (મુદલ) પર ટેક્સ કપાતની મર્યાદા વધારવાની જરૂરિયાત છે. કારણ એવું છે કે આ મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. જાણકારોનું કહેવું છે કે હોમ લોન પર ટેક્સ લાભ વધવાથી ઘરોની માંગ વધશે, કારણ કે લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે ઘરની ખરીદી કરતા હોય છે.રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector)ને આ વખતના બજેટમાં અન્ય આશાઓ પણ છે. આ સેક્ટર અફોર્ડેબલ હોમ લોન પર વધારાની 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને વધુ એક વર્ષ માટે વધારીને માર્ચ 2023 સુધી કરવાના પક્ષમાં છે. આ પહેલા સરકાર બે વખત ડિડક્શનની મર્યાદા વધારી ચૂકી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here