એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને મળી તક

0
33
એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાશે
અય્યર અને કેએલ રાહુલ બેટિંગ લાઈનઅપને મજબૂત બનાવશે

નવી દિલ્હી : એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ માટે 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યો છે. જો કે આ ટીમમાં એક જ સરપ્રાઈઝ જોવા મળ્યું છે. મિડલ ઓર્ડરના બેકઅપ તરીકે તિલક વર્માની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સંજુ સેમસનને બેકઅપ તરીકે રાખવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપને મજબૂત બનાવશે. અય્યર ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. રાહુલ પાસે પાંચમા નંબરની જવાબદારી રહેશે. રાહુલ વિકેટકીપિંગની પણ કાળજી લેતો જોવા મળશે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. કુલદીપ યાદવે નંબર વન સ્પિનરનો ખિતાબ હાંસલ કર્યો છે. તેને સમર્થન આપવા માટે અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. જસપ્રિત બુમરાહની વાપસીથી ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા (C), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને સંજુ સેમસન