Sunday, April 20, 2025
Homenationalમોદીએ કહ્યું- આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે; શહીદ...

મોદીએ કહ્યું- આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે; શહીદ ઉધમ સિંહને નમન કર્યું

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : મન કી બાતના 91મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું- આ વખતે મન કી બાત ખાસ છે. આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. એ સૌભાગ્યની વાત છે. જો આપણે ગુલામીના યુગમાં જન્મ્યા હોત, તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત. આપણા જીવનમાં તે દિવસ પણ આવે છે જ્યારે આપણે ભારત માતા કી જય બોલતાં આપણું જીવન સમર્પિત કરીએ છીએ. આજના દિવસે 31મી જુલાઈના રોજ શહીદ ઉધમ સિંહની શહાદતને નમન કરીએ છીએ. દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારને હું નમન કરું છું. આઝાદીનો અમૃત પર્વ જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. મેઘાલયમાં આને લગતો એક કાર્યક્રમ યોજાયો હતો. શહીદ ટિરોક સિંહજીએ ખાસી હિલ્સ પરના નિયંત્રણનો ઉગ્ર વિરોધ કર્યો. નાટક દ્વારા આ આંદોલન રજૂ કરાયું અને ઇતિહાસ જીવંત કરવામાં આવ્યો. કાર્નિવલમાં મેઘાલયની સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી. કર્ણાટકમાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 75 સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિકો તેમજ કર્ણાટકના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે સાહિત્યિક સિદ્ધિઓને દર્શાવવામાં આવી છે. આ મહિને આઝાદીની રેલ ગાડી અને રેલ્વે સ્ટેશન જેવા નવા પગલા લેવામાં આવ્યા છે. ધ્યેય એ છે કે લોકો આઝાદીની ચળવળમાં રેલવેની ભૂમિકા જાણે. ઝારખંડમાં ગોમો જંક્શનને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જંક્શનના નામથી ઓળખાય છે. આ સ્ટેશન પર કાલકા મેઇલમાં બેસીને નેતાજી અંગ્રેજ અધિકારીઓને ચકમો આપવામાં સફળ રહ્યા હતા. તમે લખનઉની નજીક કાકોરીનું નામ પણ સાંભળ્યું હશે. તેની સાથે બિસ્મિલ જી અને અશફાકની જેવા બહાદુરોના નામો જોડાયેલા છે. ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસનમાં ટ્રેન દ્વારા જતી અંગ્રેજોને ખજાનાને લૂંટી લીધો હતો અને અંગ્રેજ સરકારને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો.દેશભરના 24 રાજ્યોમાં ફેલાયેલા 75 રેલવે સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે. તેમને શણગારવામાં આવી રહ્યા છે. કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારે આવા નજીકના ઐતિહાસિક સ્ટેશનની મુલાકાત લેવા માટે પણ સમય કાઢવો જોઈએ. તમને આવા ઇતિહાસને જાણશો, જેનાથી તમે અજાણ છો. શાળાના બાળકોને આવા સ્ટેશનો પર લઈ જવા જોઈએ.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ખાસ મુવમેન્ટ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા ઘરે ત્રિરંગો જરૂરથી લહેરાવો. તેમે તમારા ઘરે લગાવો. ત્રિરંગો આપણને એક કરે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. આપણા સામાજિક મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગો લાવી શકો છે. 2 ઓગસ્ટે પિંગલી વેંકૈયાની જન્મજયંતિ છે. તેમેણે જ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. મહાન ક્રાંતિકારી મેડમ કામાએ ત્રિરંગાને આકાર આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. મન કી બાત, જેનું દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારણ થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ વખતે મન કી બાત કાર્યક્રમમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે દરમિયાન દેશના નાગરિકો પાસેથી જીવવાના અધિકાર સહિત તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરજન્સી સમયે સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ વિશ્વમાં મળવું મુશ્કેલ છે. ઈમરજન્સીના સમયને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે દરમિયાન તેમણે ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધા પર નિયંત્રણ લગાવવામાં આવ્યુ હતું. સેન્સરશીપની એવી સ્થિતિ હતી કે મંજુરી વગર કંઈપણ છાપી શકાયું નથી. મને યાદ છે કે તે સમયના પ્રખ્યાત ગાયક કિશોર કુમાર જી સરકારના વખાણ કરવાથી ઇનકાર કર્યો, તો તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની એન્ટ્રી દુર કરવામાં આવી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here