Friday, June 26, 2026
Homenationalબંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: 5 હજારને નોકરીની રાહ, 510 દિવસથી ધરણાં...

બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: 5 હજારને નોકરીની રાહ, 510 દિવસથી ધરણાં…

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કોલકાતા : પશ્ચિમ બંગાળના હજારો યુવકોએ સરકારી નોકરીનું સપનું જોઇને એસએસસી (સ્કૂલ સર્વિસ કમિશન)ની પરીક્ષા આપી હતી. લાગતું હતું કે જિંદગી સુધરી જશે પણ કૌભાંડના જિને તેમની એવી હાલત કરી મૂકી છે કે ઉમેદવારો 510 દિવસથી નોકરી માટે ધરણાં પર બેઠા છે. રાજ્ય સરકાર તેમને આશ્વાસન તો આપી રહી છે પણ યુવાનો નિમણૂકપત્રની માગ કરી રહ્યા છે. તેઓ કોલકાતામાં ગાંધીજીના પૂતળા આગળ ધરણાં પર બેઠા છે. તાજેતરમાં પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ બાદ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ પણ આ યુવાનોની મુલાકાત લીધી હતી.એસએસસીની પરીક્ષા 2016માં લેવાઇ હતી. 2017માં પરિણામ આવ્યું તેમાં સિલીગુડીની બબીતા સરકારને 77 માર્ક મળ્યા. આ દરમિયાન મેરિટ લિસ્ટ રદ કરી દેવાયું. નવા મેરિટમાં બબીતાનું નામ વેઇટિંગ લિસ્ટમાં જતું રહ્યું જ્યારે રાજ્યના મંત્રી પરેશ અધિકારીની પુત્રી અંકિતાના માર્ક બબીતાથી ઓછા હોવા છતાં તેનું નામ મેરિટમાં પહેલા નંબરે આવી ગયું. આ મેરિટને બબીતાના પતિએ હાઇકોર્ટમાં પડકારતાં કૌભાંડના પડ ખૂલવા લાગ્યા. કોર્ટમાં સત્ય સામે આવ્યું અને અંકિતાની નોકરી ફેક નીકળી. કોર્ટે અંકિતાને નોકરીમાંથી હટાવવાની સાથોસાથ તેણે નોકરી દરમિયાન મેળવેલા પગારની કુલ રકમ પરત કરવાનો પણ આદેશ કર્યો. તે પછી બબીતાને તો નોકરી મળી ગઇ પણ 5,000 યુવાનો આજે પણ નિમણૂકપત્રની રાહ જોઇ રહ્યા છે. તપાસથી માલૂમ પડ્યું કે આઇટીઆઇના માધ્યમથી કેટલાક ઉમેદવારોના માર્ક વધારાયા અને અંદાજે 1,000 અયોગ્ય લોકોને નોકરી અપાઇ. તેમાં 250 લોકો તો એવા હતા કે જેમના મેરિટ લિસ્ટમાં નામ જ નહોતા. સમગ્ર મામલે સીબીઆઇ તપાસ કરી રહી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here