Friday, June 5, 2026
HomeIndiaપીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ...

પીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ પૂંછશે; પેહલગામ આતંકવાદી હુમલાના પીડિતો માટે ૧,૫૦૦ સ્માર્ટ મકાન મફતમાં બનાવાશે; એમઓયુ પર હસ્તાક્ષર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જમ્મુ અને કાશ્મીર સરકારે પેહલગામ આતંકવાદી હુમલાથી પીડિત પરિવારો માટે મફત આવાસ પૂરો પાડવા માટે એક ઐતિહાસિક પુનર્વસન પહેલ શરૂ કરી છે, જે “ઓપરેશન સિંધૂર”ના સતત માળખા હેઠળ અમલમાં આવશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ૧,૫૦૦ સ્માર્ટ મકાન બનાવવામાં આવશે. રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં ગઇકાલે જમ્મુ-કાશ્મીર સરકાર અને એચઆરડીએસ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી ડિવિઝનલ કમિશનર જમ્મુ રમેશકુમાર (આઇએએસ) અને એડિશનલ કમિશનર કાશ્મીર અંશુલ ગર્ગ (આઇએએસ)એ હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે એચઆરડીએસ ઇન્ડિયાની તરફથી ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણનએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાકાર થઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહના રક્ષા મંત્રાલયના સહકાર સાથે આ કાર્યાન્વયનની જવાબદારી એચઆરડીએસ ઇન્ડિયાને સોંપવામાં આવી છે. દરેક સ્માર્ટ મકાન ૭૦૨ ચોરસ ફૂટ વિસ્તારમાં બે માળ સાથે ત્રણ બેડરૂમવાળું હશે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. યોજનામાં નીચેની સેવાઓ પણ આપવામાં આવશે: બી.એસ.એન.એલ.ના સહયોગથી મફત ઇન્ટરનેટ, આરોગ્ય અને શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવન ની તાલીમ, દર પાંચ વર્ષે મકાનનું મફત રીપેઇન્ટિંગ, સરકારી કલ્યાણ યોજનાઓની જાણકારી માટે સ્વયંસેવકોની મુલાકાતો અને તમામ મકાનો માટે ૩૦ વર્ષની ગેરંટી. છેલ્લા ૩૦ વર્ષથી એચઆરડીએસ ઇન્ડિયા વંચિત અને આદિવાસી સમુદાયો માટે વિકાસ કાર્ય કરી રહી છે. ૨૦થી વધુ રાજ્યોમાં મફત આવાસ યોજનાઓના સફળ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આ સંસ્થાને આ ઐતિહાસિક મિશન હાથ ધરવાનો વિશ્વાસ મળ્યો છે. ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણને જણાવ્યું કે મોટા પાયે આવાસ પ્રોજેક્ટ્સમાં પ્રાપ્ત અનુભવ આ મહત્ત્વાકાંક્ષી પહેલનું આધારસ્તંભ બનશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here