Sunday, April 27, 2025
HomeGujaratજૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા...

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા ભજવી હતી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું આયોજન કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવની પૂજા અને ઉપાસનાનો સૌથી મોટો દિવસ એટલે કે “મહાશિવરાત્રી” જૂનાગઢમાં દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે મહાદેવ શંકર અને પાર્વતીનું મિલન જૂનાગઢમાં થયું હતું, ત્યારથી તેમની મુલાકાતને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં આવેલું ગિરનાર નવનાથ અને 84 સિદ્ધોનું ધામ પણ છે. હાશિવરાત્રીના દિવસે મેળો લગવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. મેળા દરમિયાન સંતો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચે છે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર જૂનાગઢ આવવા અને પરત જવા માટે રેલવે એ એક સસ્તું અને મહત્વનું પરિવહન છે. ભાવનગર ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન, “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને, તેમની સુવિધા માટે વધારાની વિશેષ ટ્રેનો ચલાવે છે અને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા પૂરી પાડે છે. “મહાશિવરાત્રી મેળા 2025” નિમિત્તે, 22.02.2025 થી 27.02.2025 સુધી અમરેલી-જૂનાગઢ વચ્ચે મીટરગેજ વિશેષ ટ્રેનની એક જોડી દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત 23.02.2025 થી 28.02.2025 દરમિયાન વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન અને 25.02.2025 થી 27.02.2025 દરમિયાન જૂનાગઢ-રાજકોટ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને આ રૂટ પરની 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ પણ લગાવવામાં આવ્યા હતા.ભીડ વ્યવસ્થાપન અને પરિક્રમા મેળાની તમામ વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવા માટે સહાયક વાણિજ્ય પ્રબંધકક, સહાયક સુરક્ષા આયુક્ત અને સહાયક મંડળ ઈજનેરનો સમાવેશ કરતી સમિતિની રચના કરવામાં આવી હતી. મુસાફરોની સુવિધા માટે, સ્ટેશન પર બે વધારાના ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા, જે ચોવીસ કલાક કાર્યરત હતા. મુસાફરોને માર્ગદર્શન આપવા માટે “શું હું તમને મદદ કરી શકું છું” બૂથ ચોવીસ કલાક ચલાવવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા સ્ટેશન પર મેડિકલ ટીમ સાથે સેન્ટ જોન બ્રિગેડની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટના બની ન હતી કે ટ્રેનના છત પર કોઈ મુસાફરી કરી ન હતી. મુસાફરોને ટ્રેનના સમય અને અન્ય જરૂરી માહિતી આપવા માટે વારંવાર જાહેરાત કરવામાં આવી હતી.મેળાના સમયગાળા દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશન પર વધારાના આરપીએફ સ્ટાફ અને જીઆરપી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી હતી. મુસાફરોને ચોવીસ કલાક સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મેળા દરમિયાન તમામ કેટરિંગ યુનિટ 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા હતા.ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, મુસાફરોની તમામ સુવિધાઓ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તે સરળતાથી સુલભ અને દિવ્યાંગો માટે ઉપયોગી બની હતી. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મુસાફરોની સુવિધા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here