Tuesday, July 21, 2026
HomeGujaratજૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા...

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા ભજવી હતી

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું આયોજન કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવની પૂજા અને ઉપાસનાનો સૌથી મોટો દિવસ એટલે કે “મહાશિવરાત્રી” જૂનાગઢમાં દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે મહાદેવ શંકર અને પાર્વતીનું મિલન જૂનાગઢમાં થયું હતું, ત્યારથી તેમની મુલાકાતને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં આવેલું ગિરનાર નવનાથ અને 84 સિદ્ધોનું ધામ પણ છે. હાશિવરાત્રીના દિવસે મેળો લગવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. મેળા દરમિયાન સંતો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચે છે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર જૂનાગઢ આવવા અને પરત જવા માટે રેલવે એ એક સસ્તું અને મહત્વનું પરિવહન છે. ભાવનગર ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન, “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને, તેમની સુવિધા માટે વધારાની વિશેષ ટ્રેનો ચલાવે છે અને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા પૂરી પાડે છે. “મહાશિવરાત્રી મેળા 2025” નિમિત્તે, 22.02.2025 થી 27.02.2025 સુધી અમરેલી-જૂનાગઢ વચ્ચે મીટરગેજ વિશેષ ટ્રેનની એક જોડી દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત 23.02.2025 થી 28.02.2025 દરમિયાન વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન અને 25.02.2025 થી 27.02.2025 દરમિયાન જૂનાગઢ-રાજકોટ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને આ રૂટ પરની 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ પણ લગાવવામાં આવ્યા હતા.ભીડ વ્યવસ્થાપન અને પરિક્રમા મેળાની તમામ વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવા માટે સહાયક વાણિજ્ય પ્રબંધકક, સહાયક સુરક્ષા આયુક્ત અને સહાયક મંડળ ઈજનેરનો સમાવેશ કરતી સમિતિની રચના કરવામાં આવી હતી. મુસાફરોની સુવિધા માટે, સ્ટેશન પર બે વધારાના ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા, જે ચોવીસ કલાક કાર્યરત હતા. મુસાફરોને માર્ગદર્શન આપવા માટે “શું હું તમને મદદ કરી શકું છું” બૂથ ચોવીસ કલાક ચલાવવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા સ્ટેશન પર મેડિકલ ટીમ સાથે સેન્ટ જોન બ્રિગેડની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટના બની ન હતી કે ટ્રેનના છત પર કોઈ મુસાફરી કરી ન હતી. મુસાફરોને ટ્રેનના સમય અને અન્ય જરૂરી માહિતી આપવા માટે વારંવાર જાહેરાત કરવામાં આવી હતી.મેળાના સમયગાળા દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશન પર વધારાના આરપીએફ સ્ટાફ અને જીઆરપી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી હતી. મુસાફરોને ચોવીસ કલાક સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મેળા દરમિયાન તમામ કેટરિંગ યુનિટ 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા હતા.ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, મુસાફરોની તમામ સુવિધાઓ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તે સરળતાથી સુલભ અને દિવ્યાંગો માટે ઉપયોગી બની હતી. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મુસાફરોની સુવિધા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here