
આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ખાસ ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. ભાદરવી પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે. તો અમાસના દિવસે સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બર, 2025, રવિવાર અને ભાદરવી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. જ્યારે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગશે. સૂર્ય અને ચંદ્રગ્રહણનું જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વ છે. તો ચાલો જાણીએ કે સૂર્ય અને ચંદ્રગ્રહણની ભારત પર કેવી અસર થઈ શકે છે.ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રે 09:57 વાગ્યે, મધરાત્રે 11:41 અને મોક્ષ રાત્રિ 01:27 વાગ્યે સુધી રહેશે. ચંદ્રગ્રહણમાં નવ કલાક સંપૂર્ણ સૂતક લાગુ પડે છે. ગ્રહણનું સૂતક 7 સપ્ટેમ્બર, 2025 રવિવારના દિવસે 12:57 વાગ્યે લાગશે, જે 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 1:27 પર પૂર્ણ થશે. જ્યારે મંદિરના પટ 8 સપ્ટેમ્બર, 2025 સોમવારના રોજ સવારે ખોલવામાં આવશે. ચંદ્રગ્રહણ ભારત સિવાય એન્ટાર્કટિકા, પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, હિંદ મહાસાગર, યુરોપ, પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે તેથી ગ્રહણના તમામ નિયમો માન્ય ગણાશે અને લાગુ પણ થશે.7 સપ્ટેમ્બરે થનાર પૂર્ણ ચંદ્રગ્રહણને બ્લડ મૂન પણ કહેવાય છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે આ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે ધરતીની છાયામાં આવી જશે. જ્યારે ચંદ્ર ધરતીની છાયામાં હોય છે ત્યારે તેનો રંગ આછો લાલ અથવા નારંગી થઈ જાય છે જેને બ્લડ મૂન કહેવાય છે.


