Saturday, March 15, 2025
HomeBusinessતાતા ગ્રુપની કમાન 2027 સુધી ચંદ્રશેખરનના હાથમાં, ડિજિટલ-એનર્જી-હેલ્થ પર ફોકસ

તાતા ગ્રુપની કમાન 2027 સુધી ચંદ્રશેખરનના હાથમાં, ડિજિટલ-એનર્જી-હેલ્થ પર ફોકસ

Date:

spot_img

Related stories

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...
spot_img

દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસ તાતા ગ્રૂપની હોલ્ડિંગ કંપની તાતા સન્સનું નેતૃત્વ પાંચ વર્ષ માટે એન. ચંદ્રશેખરન કરશે. તાતા સન્સના બોર્ડે શુક્રવારે ચંદ્રશેખરને ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કર્યા તેઓ 2027 સુધી આ પદ પર રહેશે. 154 વર્ષ જૂના તાતા જૂથમાં ચંદ્રશેખરનનું નેતૃત્વ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે કોર્પોરેટ હાઉસ મીઠાથી લઈને લક્ઝરી સેડાન સુધી એક સાથે અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.આમાં ઓલ-ઇન-વન ઇ-કોમર્સ સુપરએપનો સમાવેશ થાય છે. જે સમગ્ર જૂથમાં તમામ ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. તાતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ મોટા પાયે કામ કરી રહી છે.આ ઉપરાંત,ગ્રુપ એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે સંપૂર્ણ તાકાત સાથે એરલાઇન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રક્રિયામાં છે. ભવિષ્યમાં 4 ક્ષેત્રો પર ફોકસ કરશે ચંદ્રશેખરન જેમાં ડિજિટલ, એનર્જી, હેલ્થ તથા સપ્લાય ચેનનો સમાવેશ થાય છે.
ભારે ઊથલપાથલ બાદ ચંદ્રશેખરને મળી હતી કમાન:
ચંદ્રશેખરનને ફેબ્રુઆરી 2017માં પ્રથમ વખત તાતા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આના થોડા મહિના પહેલા જ કંપનીના તત્કાલીન ચેરમેન સાયરસ પી. મિસ્ત્રીને રાતોરાત બરતરફ કરવામાં આવ્યા હતા. કારણ એ હતું કે મિસ્ત્રીએ તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. તાતા ટ્રસ્ટ્સ તાતા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે. આ પછી મિસ્ત્રી અને કંપની વચ્ચે લાંબી લડાઈ ચાલી. આ લડાઈ માર્ચ 2021 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સમાપ્ત થઈ હતી કે મિસ્ત્રીને પદ પરથી હટાવવાનું કાયદેસર હતું.

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here