તાતા ગ્રુપની કમાન 2027 સુધી ચંદ્રશેખરનના હાથમાં, ડિજિટલ-એનર્જી-હેલ્થ પર ફોકસ

0
17
ગ્રુપ એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે સંપૂર્ણ તાકાત સાથે એરલાઇન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રક્રિયામાં છે
ગ્રુપ એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે સંપૂર્ણ તાકાત સાથે એરલાઇન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રક્રિયામાં છે

દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસ તાતા ગ્રૂપની હોલ્ડિંગ કંપની તાતા સન્સનું નેતૃત્વ પાંચ વર્ષ માટે એન. ચંદ્રશેખરન કરશે. તાતા સન્સના બોર્ડે શુક્રવારે ચંદ્રશેખરને ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કર્યા તેઓ 2027 સુધી આ પદ પર રહેશે. 154 વર્ષ જૂના તાતા જૂથમાં ચંદ્રશેખરનનું નેતૃત્વ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે કોર્પોરેટ હાઉસ મીઠાથી લઈને લક્ઝરી સેડાન સુધી એક સાથે અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.આમાં ઓલ-ઇન-વન ઇ-કોમર્સ સુપરએપનો સમાવેશ થાય છે. જે સમગ્ર જૂથમાં તમામ ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. તાતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ મોટા પાયે કામ કરી રહી છે.આ ઉપરાંત,ગ્રુપ એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે સંપૂર્ણ તાકાત સાથે એરલાઇન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રક્રિયામાં છે. ભવિષ્યમાં 4 ક્ષેત્રો પર ફોકસ કરશે ચંદ્રશેખરન જેમાં ડિજિટલ, એનર્જી, હેલ્થ તથા સપ્લાય ચેનનો સમાવેશ થાય છે.
ભારે ઊથલપાથલ બાદ ચંદ્રશેખરને મળી હતી કમાન:
ચંદ્રશેખરનને ફેબ્રુઆરી 2017માં પ્રથમ વખત તાતા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આના થોડા મહિના પહેલા જ કંપનીના તત્કાલીન ચેરમેન સાયરસ પી. મિસ્ત્રીને રાતોરાત બરતરફ કરવામાં આવ્યા હતા. કારણ એ હતું કે મિસ્ત્રીએ તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. તાતા ટ્રસ્ટ્સ તાતા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે. આ પછી મિસ્ત્રી અને કંપની વચ્ચે લાંબી લડાઈ ચાલી. આ લડાઈ માર્ચ 2021 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સમાપ્ત થઈ હતી કે મિસ્ત્રીને પદ પરથી હટાવવાનું કાયદેસર હતું.