Tuesday, May 21, 2024
HomeUncategorizedચા એક પોપ્યુલર ડ્રિંક: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? જાણો...

ચા એક પોપ્યુલર ડ્રિંક: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? જાણો આ 5 કારણો

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

 શિયાળા માં આપણને ગરમાહટની જરૂર હોય છે જે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલા ખાવાથી પ્રાપ્ત કરી શકાય છે. દરેક જડીબુટ્ટી, મસાલા અથવા કોમ્બિનેશનનો અલગ-અલગ હેતુ છે અને આપણે એ પસંદ કરવાનું છે કે આપણા ડાયટમાં શેનો સમાવેશ કરવો. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાય ફ્રૂટ્સ, માંસ અને ઘી. શરીરને ગરમ અને પાચનતંત્રને ચાલુ રાખવા માટે હર્બલ ચા નો સમાવેશ કરવો જોઈએ. એવા ઘણા કારણો છે જેને લીધે તમારે મસાલેદાર ચા પીવી જોઈએઅને તેમાંથી કેટલાક નીચે મુજબ છે.

1. એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે

મસાલાવાળી ચામાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ ફ્લૂ અને અન્ય વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

2. સોજાથી રાહત અપાવે છે

આ ગરમ મિશ્રણની ચુસ્કી લેવાથી સોજો અને ખરાશ ઓછા થાય છે. એવું માનવામાં આવે છે કે કેસરની ચા પીવાથી અથવા ઉકળતા પાણીમાં થોડા લવિંગ નાખીને પીવાથી શરીરમાં સોજો ઓછો થાય છે અને પીડાથી રાહત મળી શકે છે.

3. તમારો મૂડ સેટ કરે છે

શિયાળાના મહિનાઓમાં આપણે ક્યારેક હતાશા અનુભવીએ છીએ અને ચોકલેટ ખાવા લાગીએ છીએ. આવા મનપસંદ ફૂડ્સ ખાઓ ત્યારે તેને હર્બલ ચા પીવા સાથે બેલેન્સ કરવું જોઈએ. તમારા ડાયટમાં લવંડર, કેમોમાઈલ અથવા એલચીની ચાનો સમાવેશ કરવાથી તમને શાંત રહેવામાં મદદ મળશે.

4. પાચનને હેલ્ધી બનાવે છે

ભારે ભોજનનું સેવન સાથે બેસવાનું અને હલનચલન ટાળવાની વૃત્તિથી શિયાળામાં પાચન સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આદુ, ફુદીનો અથવા વરિયાળીની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની તકલીફમાં રાહત મળે છે. ખાસ કરીને જો તે ભોજન પછી અથવા તેની વચ્ચે પીવામાં આવે.

5. બ્લડ સરક્યુલેશન વધારવામાં મદદરૂપ

શિયાળાના મહિનાઓમાં કસરતના અભાવને કારણે આપણું શરીર સખત થઈ જાય છે અને તેનાથી રક્ત પરિભ્રમણ (Blood Circulation) પ્રભાવિત થાય છે. તજની ચા પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ શુગરને આંતરિક રીતે સુધારવામાં મદદ મળે છે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here