Wednesday, February 26, 2025
HomeGujaratવન રક્ષકની પરીક્ષા 12થી 2 દરમિયાન હતી, 1.15 કલાકે સોશિયલ મીડિયામાં ફરતું...

વન રક્ષકની પરીક્ષા 12થી 2 દરમિયાન હતી, 1.15 કલાકે સોશિયલ મીડિયામાં ફરતું હતું :યુવરાજસિંહ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

ગાંધીનગર: ગુજરાતમાં ફરીથી ભરતીના પ્રશ્નપત્રમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. રાજકોટ શહેરની ઉડાન સ્કૂલના બ્લોક નં. 2માં વનરક્ષકની પરીક્ષા હતી. તેમા ઉમેદવારોએ સણસણતો આક્ષેપ કર્યો છે કે, આ પરીક્ષા દરમિયાન પેપરના પેકેટ પર સેલોટેપ લગાવવામાં આવી હતી. તે અંગે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરીને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર પણ પલટવાર કર્યો હતો.યુવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઉનાવામાં વનરક્ષકની પરીક્ષા બાદ જે ગેરરીતિનો મામલો સામે આવ્યો છે તે મામલે રાજ્યના શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યુ કે, આ પરીક્ષાનું પેપર લીક નથી થયુ પરંતુ આ પરીક્ષામાં ચોરી થઇ છે. તેથી આ ઘટનાને કોપીકેસ ગણવામાં આવશે. તેમના નિવેદન અંગે કહેવાનું કે, વિદ્યાર્થીઓએ આપેલા આધાર પુરાવા સાથે જણાવીએ છીએ કે, આ પેપર સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફરતું થયુ હતુ. તેના અધિકૃત આધાર પુરાવા સાથે અમે વાત કરી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યુ કે, પરીક્ષા પુરી થઇ અને તરત જ નિવેદન આવી ગયુ હતુ કે આ પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી. જો તમારી પાસે કોઇ આધાર પુરાવા હોય તો જાહેર જનતા જોગ રાખી શકો છો અમે એક્શન લઇશું. તમારી પાસે આધાર પુરાવા છે કે, ચાલુ પરીક્ષાએ આ પેપર વોટ્સએપના અનેક ગ્રુપમાં ફરતું થયુ હતુ. તેના સોશિયલ મીડિયા એવિડન્સ રજૂ કરીએ છીએ.તેમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે, આ પરીક્ષા 12થી 2 દરમિયાન લેવાઇ હતી. વોટ્સએપમાં આ પેપર 1.15 કલાકે એક ગ્રુપમાં ફરતુ થયુ હતુ. બીજા ગ્રુપમાં પણ આખેઆખું પેપર આવી ગયુ હતુ. જે વ્યક્તિએ વાયરલ કર્યુ છે તેના નંબર પણ અહીં રાખેલા છે. આ પેપરને લીક થયેલું ગણવું કે ગેરરીતિ ગણવી એ જનતા જોગ પ્રશ્ન કરીએ છીએ.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ‘યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યુ છે. યુવાનોનું માનસ બગાડવા ફેશનરૂપે નીકળી પડ્યા, 3 દિવસ પછી આ વાત શા માટે? પરીક્ષાના ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનું યાદ આવ્યુ? પેપર ફૂટે અને ગેરરીતિ થાય તેમાં તફાવત છે.’

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here