Tuesday, September 15, 2026
HomeGujaratમધ્યાહ્ન ભોજનમાં ખામી ન રહે એની અધિકારીઓ ચિંતા કરે, જે ચિંતા નહિ...

મધ્યાહ્ન ભોજનમાં ખામી ન રહે એની અધિકારીઓ ચિંતા કરે, જે ચિંતા નહિ કરે એની અમે ચિંતા કરીશું: જીતુ વાઘાણી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગાંધીનગર: પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) – યોજના નો પ્રારંભ આજે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળા થી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના કાળના બે વર્ષ બાદ ફરીથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના પિતા સ્વર્ગસ્થ સવજીભાઈ વાઘાણીની પૂર્ણ તિથિ નિમતે વિધાર્થીઓને મીસ્ટાન પ્રસાદી આપી નવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. તો શિક્ષણ વિભાગ પરિવાર અને સમાજને પણ સંદેશો આપ્યો કે, પોતાના જન્મ દિવસ અને સ્વજનોની તિથિ નિમિતે વિધાર્થીઓ સાથે સમૂહ જીવનની ભાવના જીવંત કરવા આ પ્રકારે આગળ આવવા અપીલ કરી હતી.કોરોના સમયગાળા બાદ ગુજરાત સરકાર દ્વારા ૨૯/૦૩/૨૦૨૨થી રાજયની ૦૬ મહાનગરપાલિકા તથા કુલ ૦૬ જિલ્લાઓમાં NGO હેઠળ આવરી લીધેલ ૨૯૫૩ શાળાઓમાં તથા તા.૩૧/૦૩/૨૦૨૨ થી રાજ્યના તમામ જિલ્લાઓની ૨૯૪૬૪ શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરુઆત કરવામાં આવી.સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજની એકરુપતા જાળવવા તેમજ બાળકો વચ્ચે સ્વચ્છતાના ગુણ કેળવવામાં આ યોજના ખૂબ ઉપયોગી છે.રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૪થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજનાની શરુઆત ૧૫ ઓગષ્ટ ૧૯૯૫થી કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે. ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સએ તા.૨૯/૦૯/૨૦૨૧ની બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાનું “પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ” યોજના તરીકે નવું નામાભિધાન કરવામાં આવેલ છે.પી.એમ.પોષણ યોજનાને વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ સુધી વધુ પાંચ વર્ષ લંબાવવા માટેની મંજુરી આપવામાં આવેલ છે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ બજેટ જોગવાઈ કુલ રૂ.૧૦૭૧,૩૫ કરોડ મંજુર કરવામાં આવેલ છે. કોરોના મહામારીના સમયગાળામાં શાળાઓ બંધ હોવા છતાં પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ હેઠળ રાંધેલો ખોરાક આપવાના વિકલ્પે શાળાઓમાં નોંધાયેલા વિધાર્થીઓને તા.૧૬/૦૩/૨૦૨૦ થી બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ હેઠળ બાળકોને ફૂડગ્રેઇન તથા કૂકિંગ કોસ્ટની ચુકવણી કરવામાં આવેલ છે. મે/જુન-૨૦૨૧ના ઉનાળા વેકેશનના ૩૫ દિવસ માટે ખાસ સહાય તરીકે કૂકિંગ કોસ્ટની પણ ચુકવણી કરેલ છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here