Friday, May 17, 2024
HomeGujaratગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

ગુજરાતમાંઆજથી એટલે શુક્રવારથી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રવિવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે લાગે તેની પૂરી સંભાવના છે. એટલે આજે અને આવતીકાલે ક્યાંય જવાનું વિચારતા હોય તો સ્વેટર અને શાલ વધારે લઇ જવા પડશે.ગુરુવારે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આ સાથે ગુરૂવારે રાતે વડોદરામાં 15.6, નલિયામાં 15.9, પાટણ-ડીસામાં 16, કંડલામાં 16.5, જુનાગઢમાં 16.7, ગાંધીનગરમાં 16.8, પોરબંદરમાં 17, ભૂજમાં 17.9, રાજકોટમાં 18.4, સુરતમાં 18.8 જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.બદલાતા હવામાનને જોતા હવામાન વિભાગે સાવચેતી રાખવાનું જણાવ્યું છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સતત બદલાતા હવામાનને કારણે ઘરે ઘરે શરદી ખાંસીની બીમારી જોવા મળી રહી છે. ત્યારે ફરીથી ઠંડી વધવાથી લોકોએ સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડશે. આ વર્ષે શિયાળામાં સતત પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુરુવારે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેના કારણે વાતાવરણ વાદળછાયું બન્યું હતુ. જ્યારે વાદળછાયા વાતાવરણમાં માવઠાના સંકેતથી ખેડૂતોના જીવ ઉચાટમાં આવ્યા છે. ઉત્તર ભારતની હિમવર્ષાના કારણે હમણાં સુધી ઠંડી હતી. જોકે, બે દિવસથી ઠંડીની તિવ્રતામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાં હવે ફરીથી વાતાવરણ વિષમ બન્યું છે. આકાશમાં વાદળોએ ઘેરો ઘાલતાં રવી સીઝનના વાવેતરને માઠું નુક્સાન થવાની ભીતી વ્યક્ત થઈ રહી છે. સૂર્ય વાદળોમાં છૂપાતાં ખેતીનો વિકાસ રુંધાય તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હવામાનમાં આવેલા બદલાય પછી ઠંડીનું જોર ઘટયું પરંતુ વાદળો હટયા પછી ફરીથી ઠંડીનો તેજ ચમકારો અનુભવાશે. આ સંજોગોમાં જો કમોસમી માવઠું વરસે તો ખેતરોમાં ઉભા રવી પાકને નુક્સાન થઈ શકે છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here