Saturday, July 18, 2026
HomenationalPM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા...

PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

નવી દિલ્હી : ભારત અને કેનેડા વચ્ચે હરદિપસિંહ નિજ્જરની હત્યાને લઈને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે ત્યારે હવે PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર ખતરો વધ્યો છે જેમાં આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે. ભારત અને કેનેડા વચ્ચે હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિસે ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડવા કહ્યું છે. તેમણે ભારતે સમર્થન આપવા તેમજ નિજ્જરની હત્યાની ઉજવણી કરવા બદલ ભારતીયોને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2019થી ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપતા કહ્યું હતું કે ઈન્ડો-હિન્દુઓ કેનેડા છોડો, ભારત જતા રહો. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો ફક્ત ભારતને સમર્થન જ નહીં પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છે તેઓએ તાત્કાલિક ધોરણે કોનેડા છોડી દેવું જોઈએ. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો અને ભારત સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ કેનેડામાં રહેતા હિન્દુ સંગઠનના પ્રવક્તા વિજય જૈનનું કહેવું છે કે કેનેડામાં પણ ધીમે-ધીમે હિન્દુ ફોબિયા વધી રહ્યો છે. આ સતત જોવા મળી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે જો આમને આમ ચાલશે તો વર્ષ 1985 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે કેનેડામાં ડરનો માહોલ બની ગયો હતો. 

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here