Friday, June 5, 2026
HomeGujaratગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક પણ ચૂકી જશે નીતિન પટેલ? મુખ્યમંત્રીપદના પ્રબળ...

ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક પણ ચૂકી જશે નીતિન પટેલ? મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર હોવા અંગે શું કહ્યું ?

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામુ લઈ લેવામાં આવ્યા બાદ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું શુ થશે? નીતિન પટેલ માટે આ કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક છે, પરંતુ જો આ વખતે પણ તેમને મુખ્યમંત્રી ન બનાવાય તેઓ આ છેલ્લી તક પણ ચૂકી જાય તેમ છે. મળતી માહિતી મુજબ નીતિન પટેલને મંત્રી મંડળમાંથી પડતા મૂકી ઉત્તરાખંડના રાજ્યપાલની ઓફર થઈ શકે છે. નહીતર સંગઠનમાં સ્થાન આપી સરકારમાંથી મુક્ત કરી શકાય છે.ગુજરાતમાં કોરોના કાળમાં સરકારની કામગીરી સામે પ્રજાનો રોષ ફેલાયો છે અને તેના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે જ ઉભા થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ કઠોર કદમ લઈ રહી છે, જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તો રાજીનામું લઈ લેવામાં આવ્યું, પણ તેની સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ એટલા જ જવાબદાર હોવાનું માની રહેલા ભાજપના હાઈકમાન્ડ દ્વારા નીતિન પટેલને પણ પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે.ગુજરાતમાં પાટીદારોની નારાજગી પણ ભાજપ માટે એક મહત્વનો મુદ્દો બની ગયો હતો. જેમાં પાટીદાર નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ આ મામલે નિષ્ફળ નીવડ્યા હોવાનું ભાજપના આગેવાનોનું માનવું હતું, એટલું જ નહીં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ માટે કેટલાક અંશે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.વિજય રૂપાણી સાથે સમગ્ર મંત્રી મંડળનું પણ રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે કે નવી સરકાર ન આવે ત્યાં સુધી હાલમાં માત્ર કેર ટેકર તરીકે મંત્રીમંડળ કાર્યભાર ચાલુ રાખશે. આરોગ્ય મંત્રી તરીકે કોરોના કાળમાં, પાટીદાર મંત્રી તરીકે સમાજની નારાજગી દૂર કરવામાં અને મુખ્યમંત્રી સાથે સંકલન રાખવામાં ઉણા ઉતરેલા નીતિન પટેલને સરકારમાંથી મુક્ત કરી શકાય છે, એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડમાં રાજ્યપાલ પદની ઓફર પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here