Friday, August 14, 2026
HomeWorldઅમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું,...

અમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું, પીએમ મોદીને કરી અપીલ

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

તેમણે કહ્યું કે આ પગલું ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યો સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે

અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે પણ રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો

અમેરિકામાં ભારતીય મૂળના પ્રભાવશાળી સાંસદ રો ખન્નાએ કહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા એ ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યોની સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે. રો ખન્નાએ ટ્વિટ કરી કહ્યું કે આ એ નથી જેના માટે મારા દાદાજીએ તેમના જીવનના અનેક વર્ષો જેલમાં કુરબાન કરી દીધા હતા. 

પીએમ મોદીને અપીલ કરી

રો ખન્ના યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભારત અને ભારતીય-અમેરિકનો પર અમેરિકી સંસદના કોકસના સહ-અધ્યક્ષ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

ટ્વિટ પણ કરી…

અન્ય એક ટ્વિટમાં રો ખન્નાએ કહ્યું કે તમારી પાસે ભારતીય લોકશાહીના હિતમાં આ નિર્ણયને પાછો ખેંચવાની શક્તિ છે.  અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો.

કિરેન રિજિજુનો કોંગ્રેસ પર પ્રહાર

આ દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ હવે આ માટે ભાજપને દોષિત ઠેરવશે અને ન્યાયતંત્રની ટીકા પણ કરશે. રિજિજુએ ઈન્ટરનેટ મીડિયા પર કહ્યું કે અમે રાહુલ ગાંધીને અત્યંત અપમાનજનક અને બેજવાબદાર ટિપ્પણી કરવાની સલાહ આપી નથી.રિજિજુએ કહ્યું કે ભારતનું બંધારણ તમામ નાગરિકો સાથે સમાન રીતે વર્તે છે અને તેથી કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સમાન છે. તમામ સાંસદોને પણ સંસદમાં બોલવાનો સમાન અધિકાર છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈને વિશેષ માનવામાં આવે છે અને બીજા બધાને સામાન્ય ગણવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here