Tuesday, February 25, 2025
HomeWorldઇમરાનને તમામ કેસમાં એક સાથે જામીન, હાલ કોઇ નવા કેસમાં ધરપકડ નહીં...

ઇમરાનને તમામ કેસમાં એક સાથે જામીન, હાલ કોઇ નવા કેસમાં ધરપકડ નહીં થાય

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાક.ની સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી સાથે જ તેમને તાત્કાલીક છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે બાદમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા ઇમરાન ખાનને બે સપ્તાહના જામીન પર છોડવામાં આવ્યા છે. જોકે ઇમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તેમના સમર્થકોએ ભારે હિંસા આચરી હતી અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દીધી હતી.

ઇમરાન ખાનને ભારે સુરક્ષા વચ્ચે ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસની ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, આ દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશ મિઆંગુલ હસન ઔરંગઝેબ, ન્યાયાધીશ સમન રફત ઇમ્તિયાઝની બેંચે કહ્યું હતું કે ઇમરાન ખાનની આ અથવા અન્ય કોઇ પણ નવમી મે પછીના મામલામાં  ૧૭મી તારીખ સુધી ધરપકડ કરવામાં નહીં આવે. આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફૂલ પ્રુફ સુરક્ષા આપવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે ઇમરાન ખાનની પ્રોટેક્ટિવ જામીન અરજીને બે સપ્તાહ સુધી માન્ય રાખી હતી. 

જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાનના મામલાની સુનાવણીમાં બે કલાકનો વિલંબ થયો હતો. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તેના લાડલા ઇમરાન ખાનની તરફેણ કરી રહી છે. જો ઇમરાન ખાનને છોડી જ મુકવા હોય તો પાકિસ્તાનની જેલોમાં જે પણ લોકો ભ્રષ્ટાચારના કેસોમાં બંધ છે તેમને પણ છોડી મુકવા જોઇએ. આ જ પ્રકારની છૂટ મારા ભાઇ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ કેમ આપવામાં ન આવી. આ પ્રકારની બેવડી નીતિને કારણે પાકિસ્તાનમાં ન્યાયની હત્યા કરી દેવામાં આવી છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉમર અટા બંડીયલ, ન્યાયાધીશ મોહમ્મદ અલી, ન્યાયાધીશ અથર મિનલ્લાહ દ્વારા ઇમરાન ખાનને મોટી રાહત આપવામાં આવી હતી અને તેમની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી. ઇમરાન ખાનની સામે પાકિસ્તાનમાં ૧૨૦ જેટલા કેસો છે.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here