Friday, June 5, 2026
HomeWorldઇમરાનને તમામ કેસમાં એક સાથે જામીન, હાલ કોઇ નવા કેસમાં ધરપકડ નહીં...

ઇમરાનને તમામ કેસમાં એક સાથે જામીન, હાલ કોઇ નવા કેસમાં ધરપકડ નહીં થાય

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાક.ની સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી સાથે જ તેમને તાત્કાલીક છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે બાદમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા ઇમરાન ખાનને બે સપ્તાહના જામીન પર છોડવામાં આવ્યા છે. જોકે ઇમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તેમના સમર્થકોએ ભારે હિંસા આચરી હતી અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દીધી હતી.

ઇમરાન ખાનને ભારે સુરક્ષા વચ્ચે ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસની ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, આ દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશ મિઆંગુલ હસન ઔરંગઝેબ, ન્યાયાધીશ સમન રફત ઇમ્તિયાઝની બેંચે કહ્યું હતું કે ઇમરાન ખાનની આ અથવા અન્ય કોઇ પણ નવમી મે પછીના મામલામાં  ૧૭મી તારીખ સુધી ધરપકડ કરવામાં નહીં આવે. આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફૂલ પ્રુફ સુરક્ષા આપવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે ઇમરાન ખાનની પ્રોટેક્ટિવ જામીન અરજીને બે સપ્તાહ સુધી માન્ય રાખી હતી. 

જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાનના મામલાની સુનાવણીમાં બે કલાકનો વિલંબ થયો હતો. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તેના લાડલા ઇમરાન ખાનની તરફેણ કરી રહી છે. જો ઇમરાન ખાનને છોડી જ મુકવા હોય તો પાકિસ્તાનની જેલોમાં જે પણ લોકો ભ્રષ્ટાચારના કેસોમાં બંધ છે તેમને પણ છોડી મુકવા જોઇએ. આ જ પ્રકારની છૂટ મારા ભાઇ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ કેમ આપવામાં ન આવી. આ પ્રકારની બેવડી નીતિને કારણે પાકિસ્તાનમાં ન્યાયની હત્યા કરી દેવામાં આવી છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉમર અટા બંડીયલ, ન્યાયાધીશ મોહમ્મદ અલી, ન્યાયાધીશ અથર મિનલ્લાહ દ્વારા ઇમરાન ખાનને મોટી રાહત આપવામાં આવી હતી અને તેમની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી. ઇમરાન ખાનની સામે પાકિસ્તાનમાં ૧૨૦ જેટલા કેસો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here