Friday, June 5, 2026
Homenationalએન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,'મેહુલ ચોક્સીની પૂછપરછ માટે ભારત સ્વતંત્ર'

એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,’મેહુલ ચોક્સીની પૂછપરછ માટે ભારત સ્વતંત્ર’

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને કૌભાંડી ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક પહોંચેલા ગેસ્ટને કહ્યું કે તેમને મેહુલ ચોક્સીના કારનામા વિસે પૂરતી માહિતી મળી છે.

એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,’મને પૂરતી માહિતી મળી છે કે મેહૂલ ચોક્સી દગાખોર છે. તેનો કેસ અદાલતમાં છે. હાલ તો અમે કશું ન કરી શકીએ. પરંતુ એટલું કહીશ કે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ કે બારબુડામાં રાખવાનો કોઈ ઈરાદો નથી.’

ભારતીય અધિકારીઓને પૂછપરછની પરવાનગી આપવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે,’પૂછપરછથી અમને કોઈ વાંધો નથી.’ બ્રાઉને કહ્યું કે ભારતીય અધિકારીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેની પૂછપરછ કરી શખે છે. બસ મેહુલ ચોક્સી પૂછપરછમાં સામેલ થવા ઈચ્છતો હોવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં તેમની સરકાર કશું ન કરી શકે, કારણ કે કેસ હાલ અદાલતમાં છે.

જો કે બ્રાઉને મેહુલ ચોક્સી ક્યારે ભારત આવશે તે અંગે કોઈ ચોક્કસ નિવેદન નથી આપ્યું. પરંતુ તેમના નિવેદનો જોતા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની શક્યતાઓ મજબૂત થતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સની નાગરિક્તા રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ભારતના દબાણ બાદ આ પગલું લીધું હતું. PNB કૌભાંડમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડ ચાંઉ કરી જવાનો આરોપ છે.

આ કૌભાંડનો ખુલાસો 2018માં થયો હતો. આ કૌભાંડ સામે આવ્યા બાદ નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંને ભારત છોડીને ફરાર થઈ ગયા હતા. મેહુલ ચોક્સીએ 15 જાન્યુઆરી 2018ના રોજ એન્ટીગુઆ અને બારબૂડાની નાગરિક્તા લીધી હતી. તેણે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે તે હાલ એન્ટીગુઆમાં છે અને PNB કૌભાંડની તપાસમાં સહયોગ આપવા ઈચ્છે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here