Monday, June 29, 2026
Homenationalએન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,'મેહુલ ચોક્સીની પૂછપરછ માટે ભારત સ્વતંત્ર'

એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,’મેહુલ ચોક્સીની પૂછપરછ માટે ભારત સ્વતંત્ર’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને કૌભાંડી ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક પહોંચેલા ગેસ્ટને કહ્યું કે તેમને મેહુલ ચોક્સીના કારનામા વિસે પૂરતી માહિતી મળી છે.

એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,’મને પૂરતી માહિતી મળી છે કે મેહૂલ ચોક્સી દગાખોર છે. તેનો કેસ અદાલતમાં છે. હાલ તો અમે કશું ન કરી શકીએ. પરંતુ એટલું કહીશ કે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ કે બારબુડામાં રાખવાનો કોઈ ઈરાદો નથી.’

ભારતીય અધિકારીઓને પૂછપરછની પરવાનગી આપવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે,’પૂછપરછથી અમને કોઈ વાંધો નથી.’ બ્રાઉને કહ્યું કે ભારતીય અધિકારીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેની પૂછપરછ કરી શખે છે. બસ મેહુલ ચોક્સી પૂછપરછમાં સામેલ થવા ઈચ્છતો હોવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં તેમની સરકાર કશું ન કરી શકે, કારણ કે કેસ હાલ અદાલતમાં છે.

જો કે બ્રાઉને મેહુલ ચોક્સી ક્યારે ભારત આવશે તે અંગે કોઈ ચોક્કસ નિવેદન નથી આપ્યું. પરંતુ તેમના નિવેદનો જોતા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની શક્યતાઓ મજબૂત થતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સની નાગરિક્તા રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ભારતના દબાણ બાદ આ પગલું લીધું હતું. PNB કૌભાંડમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડ ચાંઉ કરી જવાનો આરોપ છે.

આ કૌભાંડનો ખુલાસો 2018માં થયો હતો. આ કૌભાંડ સામે આવ્યા બાદ નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંને ભારત છોડીને ફરાર થઈ ગયા હતા. મેહુલ ચોક્સીએ 15 જાન્યુઆરી 2018ના રોજ એન્ટીગુઆ અને બારબૂડાની નાગરિક્તા લીધી હતી. તેણે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે તે હાલ એન્ટીગુઆમાં છે અને PNB કૌભાંડની તપાસમાં સહયોગ આપવા ઈચ્છે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here