Monday, June 29, 2026
HomeAhmedabadકાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

કાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જમ્મુ, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારદાર રાજકીય હલચલની વચ્ચે સ્થાનિક પાર્ટીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોકોમાં ભારે દહેશત છે. મહેબુબાએ જમ્મુ કાશ્મીરની Âસ્થતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, અહીં એક આફત તુટી પડી છે. કાશ્મીરમાં શું થનાર છે તેને લઇને કોઇની પાસે માહિતી નથી. આ ગાળા દરમિયાન મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ એક બેઠક બોલાવી હતી પરંતુ આ બેઠકને પણ મંજુરી આપવામાં આવી નથી. પોલીસે બુકિંગ રદ કરી દીધું છે. મોદી મંત્રીમંડળની બેઠક મૂળભૂતરીતે બુધવારે યોજાય છે પરંતુ આવતીકાલે આ બેઠક થનાર છે. મહેબુબા મુફ્તીએ ફરી એકવાર ૩૫-એ અને ૩૭૦ સાથે ચેડાને લઇને ચેતવણી આપી છે. મહેબુબાએ કહ્યું છે કે, અમે દેશના લોકોને સમજાવવાના પ્રયાસ કરી ચુક્યા છે કે, જા ૩૫-એ અથવા ૩૭૦ સાથે છેડછાડ કરવામાં આવશે તો કયા પરિણામ આવી શકે છે. જા કે, કેન્દ્ર સરકાર તરફથી આને લઇને કોઇ ખાતરી મળી નથી. તમામ બાબતો સામાન્ય બની જશે તેવી વાત પણ કરવામાં આવી રહી નથી.
આજે સાંજે યોજાનારી બેઠકને પોલીસે મંજુરી આપી નથી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જારી રાજકીય હલચલના દોર વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી છે. રાજ્યપાલે ખુલાસો કરતા કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર આ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર શનિવારના દિવસે લાંબી લાઈનો જાવા મળી હતી. એટીએમ ઉપર પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી. પેટ્રોલ પંપ પણ ખાલીખમ થઇ ગયા હતા. અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ખસેડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here