Tuesday, September 15, 2026
Homenationalચીને કૈલાશ-માનસરોવર યાત્રા પર ફીમાં વધારો કર્યો, ભારતીયોને રુપિયા 1.85 લાખ જેટલો...

ચીને કૈલાશ-માનસરોવર યાત્રા પર ફીમાં વધારો કર્યો, ભારતીયોને રુપિયા 1.85 લાખ જેટલો ખર્ચ થશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતીય યાત્રાળુઓને કૈલાસ માન સરોવર માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે. હવે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ મુસાફરી માટે ઓછામાં ઓછા 1.85 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ યાત્રા માટે યાત્રાળુઓએ વિઝા લેવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવુ પડશે. આ ઉપરાંત યોત્રિકોની ઓનલાઈન વિઝા અરજી સ્વિકારવામાં નહીં આવે તો ચીનના દૂતાવાસ જઈ વિઝા લેવા પડશે. જો યાત્રિકો તેની મદદ માટે નેપાળથી કોઈ કાર્યકર અથવા મદદગાર રાખશે તો 300 ડોલર એટલે કે 24 હજાર રૂપિયા વધારાની ફી ચૂકવવી પડશે. આ ફીને ‘ગ્રાસ ડેમેજિંગ ફી’ કહેવામાં આવે છે. ચીનની દલીલ છે કે પ્રવાસ દરમિયાન કૈલાશ પર્વતની આસપાસના ઘાસને નુકસાન થાય છે જે પ્રવાસી પાસેથી ભરપાઈ કરવામાં આવશે.

નવા નિયમોને કારણે મુસાફરી મુશ્કેલ બની

વિઝા મેળવવા માટે યાત્રાળુઓએ શારીરિક રીતે હાજર રહેવું પડશે. યાત્રા માટે કાઠમંડુ અથવા અન્ય આધાર શિબિરમાં બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હવે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી છે. તેમાંથી ચાર લોકોએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે. એક કાર્યકરને તમારી સાથે રાખવા માટે 15 દિવસ માટે 13 હજાર મુસાફરીની ફી પણ લેવામાં આવશે. અગાઉ તે માત્ર 4,200 રુપિયા હતી. આ પ્રવાસનું સંચાલન કરતી નેપાળી કંપનીઓએ ચીનની સરકાર પાસે 60 હજાર ડોલર જમા કરાવવાના રહેશે. આ સાથે સમસ્યા એ છે કે નેપાળી ટ્રાવેલ એજન્સીઓને વિદેશી બેંકોમાં પૈસા જમા કરાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં આ ફી કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મુસાફરીમાં આટલો સમય લાગે છે

કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો- નાથુ પાસ અને ત્રીજો- કાઠમંડુ પાસે કરવામાં આવે છે. આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે. વર્ષ 2019માં 31 હજાર જેટલા ભારતીયો આ યાત્રા પર ગયા હતા. આ યાત્રા વર્ષ 2019થી બંધ હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here