મહારાષ્ટ્ર NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને ઈડીની નોટિસ, મની લોન્ડરિંગ મામલે કરાશે પૂછપરછ

0
1

શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલને ED દ્વારા શુક્રવારે (12 મે) હાજર થવા માટે કહેવામાં આવ્યું છે

IL&FS કેસમાં પાટીલની પૂછપરછ થવાની છે, અગાઉ રાજ ઠાકરેની પૂછપરછ થઈ હતી

મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક મોટા સમાચાર આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલને ED દ્વારા શુક્રવારે (12 મે) હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. IL&FS કેસમાં પાટીલની પૂછપરછ થવાની છે. અગાઉ IL&FS સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલી લોનના સંબંધમાં રાજ ઠાકરેની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ (IL&FS) સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ તપાસ કોહિનૂર સીટીએનએલમાં IL&FS જૂથના ઇક્વિટી રોકાણને લગતી છે. કોહિનૂર સીટીએનએલ દાદરમાં કોહિનૂર સ્ક્વેર ટાવરનું નિર્માણ કરી રહી છે. આ કેસમાં EDએ જયંત પાટીલની પૂછપરછ કરવાની છે. જયંત પાટીલ શરદ પવારની નજીક છે. તપાસ એજન્સીએ તેમને શુક્રવારે સવારે 10 વાગ્યે બોલાવ્યા છે.