Saturday, August 22, 2026
HomeIndiaચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ...

ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીત્યા,એનડીએને બહુમત

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

નવી દિલ્હી : નવ રાજ્યોમાં રાજ્યસભાના સાંસદપદે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જોકે ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા હતા. જે સાથે જ રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે. વિરોધ વગર ચૂંટાયેલા રાજ્યસભાના ભાજપના ઉમેદવારોમાં આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધિર્ય શીલ પાટિલ, ઓડિશાથી મમતા મોહંતા, ત્રિપુરાથી ભટ્ટાચાર્જી અને રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટૂ તેમજ રાજીવ સામેલ છે. તેવી જ રીતે તેલંગાણાથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પણ વિરોધ વગર ચૂંટાઇ આવ્યા હતા. અજીત પવાર જુથના એનસીપીના નિતિન પાટિલ મહારાષ્ટ્રથી, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહ બિહારથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસની ખુરશી સુરક્ષિત રહી છે, કોંગ્રેસની સંખ્યા વધીને ૨૭ થઇ ગઇ છે. જે વિપક્ષના નેતાની કુરશી માટે જરૂરી ૨૫ બેઠકો કરતા વધુ છે. રાજ્યસભામાં બહુમત ના હોવાને કારણે એનડીએ સરકાર દ્વારા બિલો પસાર કરવા કપરુ હતું, જોકે હવે જ્યારે બહુમતની નજીક પહોંચી ગઇ હોવાથી વિપક્ષનો વિરોધ છતા બિલો પસાર કરવા સરળ બની શકે છે. અગાઉ સરકારે કેટલાક બિલોને એનડીએમાં સામેલ ના હોય તેવા પક્ષો જેમ કે બીજુ જનતા દળ, વાયએસ જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનો સમાવેશ થાય છે. હાલ આ બન્ને પક્ષો સત્તા ગુમાવી ચુક્યા છે. જેમાં ઓડિશામાં જનતા દળને હરાવી ભાજપ સત્તા પર છે જ્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષે સત્તા મેળવી છે જે એનડીએનો સાથી પક્ષ છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here