Thursday, July 23, 2026
HomeIndiaચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ...

ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીત્યા,એનડીએને બહુમત

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

નવી દિલ્હી : નવ રાજ્યોમાં રાજ્યસભાના સાંસદપદે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જોકે ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા હતા. જે સાથે જ રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે. વિરોધ વગર ચૂંટાયેલા રાજ્યસભાના ભાજપના ઉમેદવારોમાં આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધિર્ય શીલ પાટિલ, ઓડિશાથી મમતા મોહંતા, ત્રિપુરાથી ભટ્ટાચાર્જી અને રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટૂ તેમજ રાજીવ સામેલ છે. તેવી જ રીતે તેલંગાણાથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પણ વિરોધ વગર ચૂંટાઇ આવ્યા હતા. અજીત પવાર જુથના એનસીપીના નિતિન પાટિલ મહારાષ્ટ્રથી, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહ બિહારથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસની ખુરશી સુરક્ષિત રહી છે, કોંગ્રેસની સંખ્યા વધીને ૨૭ થઇ ગઇ છે. જે વિપક્ષના નેતાની કુરશી માટે જરૂરી ૨૫ બેઠકો કરતા વધુ છે. રાજ્યસભામાં બહુમત ના હોવાને કારણે એનડીએ સરકાર દ્વારા બિલો પસાર કરવા કપરુ હતું, જોકે હવે જ્યારે બહુમતની નજીક પહોંચી ગઇ હોવાથી વિપક્ષનો વિરોધ છતા બિલો પસાર કરવા સરળ બની શકે છે. અગાઉ સરકારે કેટલાક બિલોને એનડીએમાં સામેલ ના હોય તેવા પક્ષો જેમ કે બીજુ જનતા દળ, વાયએસ જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનો સમાવેશ થાય છે. હાલ આ બન્ને પક્ષો સત્તા ગુમાવી ચુક્યા છે. જેમાં ઓડિશામાં જનતા દળને હરાવી ભાજપ સત્તા પર છે જ્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષે સત્તા મેળવી છે જે એનડીએનો સાથી પક્ષ છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here