Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadજૂનાગઢ મનપામાં ભાજપનો ભગવો : કોંગીના સૂપડા સાફ

જૂનાગઢ મનપામાં ભાજપનો ભગવો : કોંગીના સૂપડા સાફ

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

જૂનાગઢ જિલ્લા પંચાયત પેટાચૂંટણીમાં તમામ પાંચ બેઠકો ભાજપે મેળવી : તાલુકા પંચાયતમાં ભાજપને ૩૬ બેઠકો

અમદાવાદ, તા.૨૩
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ યોજાયેલી ચૂંટણમાં ભાજપે જાણે કે, તેનું બુલડોઝર ફેરવી નાંખ્યું હતુ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના સૂપડા જારદાર રીતે સાફ કરી નાંખ્યા છે. જૂનાગઢ મનપાની કુલ ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આજે ૫૪ બેઠકો પર ભાજપે તેનો ભગવો લહેરાવ્યો હતો, જયારે એનસીપીને માત્ર ચાર બેઠક હાથ લાગી હતી અને કોંગ્રેસને તો વળી સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઇ હતી. આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ પાંચેય બેઠકો ભાજપે કબ્જે કરી લીધી હતી. જયારે તાલુકા પંચાયતની ૪૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને ૩૬ બેઠકો મળી હતી અને કોંગ્રેસના ફાળે સાત બેઠકો આવી હતી. આમ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભાજપનું કમળ ખીલી ગયુ હતુ. જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ભાજપે વધુ એક સિÂધ્ધ સાથે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી હતી. જૂનાગઢ મનપાની કુલ ૬૦ બેઠકમાં ૫૯ સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૫૪ સીટ પર જીત મેળવી હતી, જ્યારે એનસીપીને ૪ અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી માંડ એક બેઠક મળી હતી. આમ જૂનાગઢ મનપાને કોંગ્રેસમુક્ત કરવામાં એક સીટ નડી ગઈ હતી. જ્યારે કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી હતી. વોર્ડ નં.૪માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળતાં કોંગ્રેસનું અÂસ્તત્વ સમ ખાવા પૂરતું ટકયુ હતું. ઉલ્લેખનીય છે કે, એક બેઠકની ચૂંટણી મુલતવી રહી છે. આજે વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી. ગત ચૂંટણીમાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને ૪૪ બેઠક મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં ૧૦ બેઠકોનો વધારો થયો અને ૫૪ પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસ પાસે ૧૫ બેઠક હતી, જે ઘટીને માત્ર એક રહી ગઈ છે. જ્યારે એનસીપી પાસે એકપણ બેઠક નહોતી, જે ૪ થઈ ગઈ છે. એટલે કે, એનસીપીએ ઘણો સારો દેખાવ કર્યો છે. આ સિવાય જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ પાસે એક બેઠક હતી જે વધીને પાંચ થઈ છે અને કોંગ્રેસ ચાર બેઠકથી ઘટીને ઝીરો પર આવી ગઈ છે. આ જ પ્રકારે તાલુકા પંચાયતની ૫૪ બેઠકમાંથી ૪૬ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ૩૬ બેઠક પર વિજય મેળવ્યો છે. આ પહેલા ભાજપ પાસે ૨૮ બેઠક હતી. જ્યારે કોંગ્રેસને ૭ બેઠક મળી છે, આ પહેલા કોંગ્રેસ પાસે ૧૮ બેઠક હતી. જ્યારે એનસીપીને ૩ બેઠક મળી છે. તો, આઠ બેઠક પર ચૂંટણી મુલતવી રહી છે. આમ કોર્પોરેશનની સાથે સાથે જિલ્લા અને તાલુકામાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય તે માટે મત ગણતરી સ્થળ પર ૬૫૦થી વધુ પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મત ગણતરી સ્થળ માટેના બિલ્ડીંગની અંદર, બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ, એસઆરપીની ટુકડીઓ તૈનાત કરાઈ હતી.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here