Monday, March 9, 2026
HomeWorldટાઇટેનિક જહાજના અવશેષો જોવા ગયેલું ટાઇટન પાંચ પ્રવાસીઓ સાથે મહાસાગરમાં લાપતા

ટાઇટેનિક જહાજના અવશેષો જોવા ગયેલું ટાઇટન પાંચ પ્રવાસીઓ સાથે મહાસાગરમાં લાપતા

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

– 96 કલાકનો ઓક્સિજન સપ્લાય ધરાવતું સબમર્સિબલ રવિવારે રાત્રે પરત આવવાનું હતું

– ઓસનગેટ કંપની વ્યક્તિ દીઠ અઢી લાખ ડોલર વસૂલી દરિયાના તળિયે ટાઇટેનિકનો ભંગાર જોવા લઇ જાય છે 

એક સદી અગાઉ દરિયામાં જળસમાધિ લેનારી વિખ્યાત ઓસન લાઇનર ટાઇટેનિકના દરિયાના તળિયે આવેલા અવશેષો જોવા માટે પાંચ જણા સાથે રવિવારે સવારે રવાના થયેલા ટાઇટન નામના સબમર્સિબલને બચાવવા માટે બચાવકારો સમય સાથે હોડમાં ઉતર્યા છે.ઓસનગેટ એક્સિપિડિશન્સ કંપનીની  કાર્બન ફાઇબરની બનેલી ટાઇટન નામની આ સબમર્સિબલમાં પાઇલટ, વિખ્યાત બ્રિટિશ સાહસવીર, પાકિસ્તાની બિઝનેસ પરિવારના બે સભ્યો તથા અન્ય એક વ્યક્તિ એમ કુલ પાંચ જણા સવાર થયા હતા. 

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ખોવાઇ ગયેલા સબમર્સિબલ ટાઇટનને શોધવા માટે કેનેડા અને યુએસ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઓસનગેટના સલાહકાર ડેવિડ કોકકેનોને જણાવ્યું હતું કે રવિવારે સવારે છ વાગ્યે આ ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવી ત્યારે તેમાં ૯૬ કલાક ચાલે તેટલો ઓક્સિજન હતો. રવિવારે સાંજે તે ન્યુ ફાઉન્ડલેન્ડમાં  સેંટ જ્હોન્સની દક્ષિણે ૭૦૦ કિલોમીટરના અંતરે તે પાછી ફરવાની હતી. બચાવ કામગીરી ચલાવી રહેલા યુએસ કોસ્ટ ગાર્ડના કમાન્ડર જ્હોન માઉગેરે જણાવ્યું હતું કે આ અંતરિયાળ ઇલાકો છે અને ત્યાં બચાવ કામગીરી કરવી કપરી બની રહે છે. અમે  સબમર્સિબલને શોધવા અને તેમાં સવાર પાંચે જણાને બચાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સવારે કેનેડાના બોઇંગ પી-૮ પોસિડોન રિકોનેન્સન્સ વિમાનોએ મહાસાગરની સપાટી પર તેમની શોધ શરૂ કરી હતી યુએસના બે લોકહીડ સી-૧૩૦ હરક્યુલસ વિમાનો દ્વારા પણ તેમની શોધ કરવામાં આવી રહી છે. 

કેનેડિયન રિસર્ચ આઇસબ્રેકર પોલર પ્રિન્સ ટાઇટનને સપોર્ટ કરી રહ્યું હતું તે આખી રાત સપાટી પર તેની શોધ ચલાવશે. ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવ્યું તે પછી તે એક કલાક અને ૪૫ મિનિટમાં પોલર પ્રિન્સ સાથે તેનો સંપર્ક ગુમાવી ચૂક્યુ હતું. 

ટાઇટનના પ્રવાસીઓમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગનો સમાવેશ થાય છે. ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે બોલે છે તે હાર્ડિંગ અબજોપતિ સાહસવીર છે. દુબઇમાં રહેતાં હાર્ડિંગ એક્શન એવિએશન કંપનીના ચેરમેન છે. તેઓ બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ રોકેટમાં અવકાશની સફરે પણ ગયા હતા. તેમની સાથે પાકિસ્તાની શહેઝાદા દાઉદ અને તેમનો પુત્ર સુલેમાન છે. દાઉદ પરિવારની કંપનીઓના  પાકિસ્તાનમાં કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રમાં  મોટા હિતો છે. શહેઝાદા દાઉદ કેલિફોર્નિયાની સેટી ઇન્સ્ટિટયુટના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં બેસે છ.સેટી પરગ્રહ પર જીવનની શોધ કરતી સંસ્થા છે. 

૧૯૧૨માં હિમશીલા સાથે ભટકાઇને ૭૦૦ પ્રવાસીઓ સાથે જળસમાધિ લેનારા ટાઇટેનિક જહાજના ભંગારનો અભ્યાસ કરવા માટે ઓસનગેટ કંપની દ્વારા આ ત્રીજી સહેલ ગોઠવવામાં  આવી હતી. ૧૯૮૫માં ટાઇટેનિક જહાજના ભંગારની શોધ થઇ તે પછી તેનો ધાતુ હજમ કરી જતાં બેક્ટેરિયા દ્વારા નાશ થઇ રહ્યો છે. 

દાયકાઓમાં આ જહાજ નામશેષ થઇ જવાની આગાહી કરવામાં આવી હોઇ લોકો તેની ઝલક મેળવવા મોટી ફી ચૂકવી આ સહેલ કરવા જાય છે.  ૨૦૨૧માં આ સહેલ શરૂ થઇ ત્યારે તેની ફી એકથી દોઢ લાખ ડોલર હતી પણ હવે ઓસનગેટની વેબસાઇટ અનુસાર ૨૦૨૩ની સહેલ માટે અઢી લાખ ડોલરની ફી વસૂલ કરવામાં આવી હતી. 

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here