Sunday, August 30, 2026
HomeGujaratAhmedabadપાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

પાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

એપ્રિલનાં પ્રથમ બે સપ્તાહમાં જ ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષ કરતાં વધારો

શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું બેરોકટોક વેચાણ થવાથી પાણીજન્ય ગણાતાં કમળો, ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષની સરખામણીએ સતત વધારો નોંધાઇ રહ્યો છે, તેમ છતાં મ્યુનિ.સત્તાધીશોનાં પેટનું પાણી હલતું નથી.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતાં સેમ્પલનાં રિપોર્ટ પૈકી મોટાભાગનાં રિપોર્ટ મિસ બ્રાન્ડેડને લગતાં જ હોય છે. બાકીનાં અનસેફ રિપોર્ટ સાવ નજીવા હોય છે. મોટરીંગ કરવાનાં કારણે પીવાનાં પાણીમાં ધૂળ-કચરો અને ગટરનાં પાણી પણ ખેંચાઇ આવતાં પીવાનું પાણી પ્રદૂષિત બની નાગરિકોને કમળો અને ઝાડા-ઉલ્ટી જેવા રોગનો ભોગ બનાવી રહ્યું છે.

શહેરીજનોને દરેક વિસ્તારમાં પીવાનું પાણી શુધ્ધ મળે છે કે નહિ તેની ચકાસણીની જવાબદારી દરેક વોર્ડનાં પીએચએસ-સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરે ઉપર લાદવામા આવી છે, તેમ છતાં હજુ પણ પાણીનાં નમૂના કોણ લે તેના મામલે હેલ્થ-સોલીડ વેસ્ટ ખાતાનાં કર્મચારીઓ અને સેન્ટ્રલ લેબોરેટરીનાં કર્મચારીઓ વચ્ચે વિવાદ છેડાયો છે. તેમ છતાં ૮મી એપ્રિલે ૪૮ વોર્ડમાંથી ૧૬૪ સેમ્પલ લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શહેરમાં વિવિધ પ્રકારનાં રોગચાળાને ડામવાનું અને અંકુશમાં રાખવાની કામગીરી કરતાં હેલ્થ ખાતાને હાલ મચ્છરજન્ય રોગચાળાને લઇ ઘણી રાહત છે. ગરમીનાં કારણે મચ્છરની ઉત્પત્તિ સાવ ઘટી ગઇ હોવાથી તાવનાં કેસ નહિવત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા નવ દિવસમાં તાવની ફરિયાદ લઇ આવેલાં લોકોની સંખ્યા આઠ હજાર જેટલી નોંધાઇ હતી, તેની સામે ગત વર્ષનાં એપ્રિલમાં ૮૪ હજારથી વધુ તાવની ફરિયાદો ઉઠવા પામી હતી.

રોગચાળાનાં આંકડા (9મી સુધીનાં)

ઝાડા-ઉલ્ટી 205
કમળો 54
ટાઇફોઇડ 50
મેલેરિયા 08
ડેન્ગ્યુ 05
ચિકનગુનિયા 03

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here