Saturday, September 5, 2026
HomeIndiaબેરિકેડિંગ કે માર્કિંગ પોઈન્ટ જ નહીં, વોલેન્ટિયરોની પણ અછત… આ 15 બેદરકારીને...

બેરિકેડિંગ કે માર્કિંગ પોઈન્ટ જ નહીં, વોલેન્ટિયરોની પણ અછત… આ 15 બેદરકારીને લીધે સર્જાઈ હાથરસ દુર્ઘટના

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં મહિલા, બાળકો સહિત 121 થી વધુ લોકોના મોત થયા છે. બાબા ભોલે પશ્ચિમ યુપીમાં ખૂબ પ્રખ્યાત છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. તેમના સત્સંગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.સત્સંગ નેતા ‘ભોલે બાબા’ અકસ્માત બાદથી ફરાર થઇ ગયા છે.

આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આયોજકોએ 80 હજારની ભીડ માટે પરવાનગી માંગી હતી. આયોજકે નિર્ધારિત ધોરણો મુજબ ઘણી વ્યવસ્થા કરવી જોઈતી હતી, જે સત્સંગ દરમિયાન કરવામાં આવી નહીં.
આ બેદરકારી પ્રકાશમાં આવી

  1. પ્રથમ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યો ન હતો.
  2. માર્કિંગ કરીને પોઈન્ટ બનાવવામાં આવે છે. પરંતુ ક્યાંય માર્કિંગ દેખાતું ન હતું.
  3. ઇમરજન્સી રસ્તો બનાવવામાં નહોતો આવ્યો.
  4. 80 હજાર લોકો માટે મેડિકલ ટીમ પણ નહોતી.
  5. મેડિકલ ટીમ હતી કે નહીં તે પણ તપાસનો વિષય છે.
  6. ત્યાં ઓછામાં ઓછી 5 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, જે ત્યાં ન હતી.
  7. ભીડ પ્રમાણે કુલર અને પંખાની કોઈ વ્યવસ્થા નહોતી.
  8. ભીડ મુજબ ઓછા સ્વયંસેવકો હતા.
  9. વહીવટીતંત્ર દ્વારા તૈનાત બળ નહિવત હતું.
  10. ખાવા-પીવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી.
  11. બાબાનો કાફલો જે માર્ગ પરથી પસાર થતો હતો તેના પર કોઈ બેરિકેડિંગ નહોતું.
  12. આયોજકોએ જે પરવાનગી લીધી તેમા દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
  13. આખા મેદાનને સમતળ કરીને ઓછામાં ઓછી 10 એકર જમીનને બરાબર કરવાની હતી, જે કરવામાં આવી ન હતી.
  14. મેદાનની ચારે બાજુ આવવા-જવા માટે રસ્તો બનાવવાનો હતો જે બનાવવામાં આવ્યો ન હતો. માત્ર એક નાનો ધૂળિયો રસ્તો બનાવવામાં આવ્યો હતો.
  15. પરવાનગી લેવા અને આપવા બંનેમાં મોટા પાયે બેદરકારી હતી.

નારાયણી સેના

બાબાએ પોતાની સુરક્ષા માટે મેલ અને ફિમેલ ગાર્ડ રાખ્યા હતા. જેને તેમણે નારાયણી સેના નામ આપ્યું છે.બાબાએ પોતાના સેવકોને પોતાની સુરક્ષામાં રાખ્યા હતા. આ સાથે જ્યાં પણ તેમનો સત્સંગ થતો હતો. તેની તમામ વ્યવસ્થા બાબાના સેવકો જ સંભાળતા હતા. આ સેનાનુ નામ નારાયણી સેના આપવામાં આવ્યુ છે. આ સેના આશ્રમથી લઇને પ્રવચન સુધીની સેવા કરે છે.

કહેવાય છે કે જ્યારે બાબા ભોલેનો કાફલો આગળ વધતો ત્યારે તેમના અંગત રક્ષકો કમાન્ડોની જેમ આગળ જતા હતા. બાબાનો દરજ્જો એવો હતો કે મોટા મોટા લોકો પણ તેમના સત્સંગમાં આવતા હતા. આ સિવાય પ્રવચન સુધી બાબા માટે એક અલગ રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પર બાબાનો કાફલો જ નિકળી શકતો હતો. આ સિવાય અન્ય કોઇને જવાની અનુમતિ નહોતી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here