બોલો અંબે માત કી જય! અંબાજી મંદિરમાં આજથી ફરી મોહનથાળનો પ્રસાદ મળશે; પ્રથમ દિવસે 3250 કિલો પ્રસાદ બનાવાશે

0
3
Mohanthal and Dhilo Mohanthal - Sanjana.Feasts - Indian Sweets

યાત્રાધામ અંબાજીમાં મા અંબાનો રાજભોગ મોહનથાળનો પ્રસાદ બંધ કરાતાં ભક્તોમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આખરે સરકારે શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી મોહનથાળ ફરી શરુ કરાવ્યો છે. પ્રસાદ ફરી શરૂ કરવા સંમતિ આપતાં આજથી મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરાશે. તો મોહનથાળ બનાવતી બહેનોની રોજગારી પુનઃ મળવાની આશા બંધાતાં મા અંબાના મંદિરે ધજા ચઢાવી હતી.

યાત્રાધામ અંબાજીમાં વર્ષો જુની પરંપરા તોડી સરકાર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં ધાર્મિક સંગઠનો અને ભક્તોએ સરકાર સામે આક્ષેપો સાથે મોહનથાળ ફરી શરૂ કરવા માંગ કરી હતી. આખરે 12 દિવસ બાદ સરકારે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા સંમતિ આપતાં ભક્તજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. મંદિરના સુપરવાઈઝર સુરેશ વ્યાસે જણાવ્યું હતું કે આજે એટલે કે શુક્રવાર સવારથી મંદિરમાં દર્શને આવતા ભક્તોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાશે. પ્રથમ દિવસે 3250 કિલો મોહનથાળ બનાવાશે

ભક્તોમાં આનંદની લાગણી છવાઈ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરુ થવાની સાથે જ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. ભક્તોએ કહ્યું કે સત્તાધીશોએ જે પણ નિર્ણય લીધો છે તે આવકારદાયક છે. જે પ્રસાદ પરંપરાગત રીતે ચાલુ હતો તેને ચાલુ રાખીને પ્રસાશને યોગ્ય નિર્ણય લીધો છે.