Saturday, July 25, 2026
HomeIndiaરાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા,આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર...

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા,આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ,કેજરીવાલ સરકારનો એક્શન પ્લાન

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. હવે આ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે, શિયાળામાં પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.ગોપાલ રાયે કહ્યું કે, કોઈ પણ પ્રકારના ફટાકડાની ઓનલાઈન ડિલીવરી અથવા વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફટાકડા અંગે લોકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તે માટે આ પ્રતિબંધ દરેક પ્રકારના ફટાકડા માટે માન્ય છે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી દિલ્હીમાં લાગુ રહેશે.ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હી સરકાર નથી ઈચ્છતી કે વેપારીઓ અને ડીલરોને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન થાય. આવી કોઈપણ પરિસ્થિતિને ટાળવા માટે સમયસર તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, દિલ્હી સરકાર પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ગંભીર છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર 21 ફોકસ પોઈન્ટ્સ પર આધારિત વિન્ટર એક્શન પ્લાન બનાવી રહી છે. આગામી દિવસોમાં વિન્ટર એક્શન પ્લાન પ્રમાણે વિવિધ અભિયાન ચલાવવામાં આવશે, જેથી પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. આવી સ્થિતિમાં અમારી દિલ્હી વાસીઓને અપીલ છે કે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારને સાથ આપે. અમે દિલ્હી વાસીઓને એ જ કહેવા માગીએ છીએ કે, દીપક પ્રગટાવી અને મિઠાઈ વહેંચીને તહેવારની ઉજવણી કરો. આપણે તહેવારને ધૂમધામથી ઉજવવાનો છે પરંતુ એટલી જ જવાબદારીથી પ્રદૂષણ પર પણ લગામ લગાવવાનો છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here