Thursday, June 25, 2026
Homenationalરામમંદિર પર ત્રણ જજની નવી બેન્ચ બનશેઃ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરી...

રામમંદિર પર ત્રણ જજની નવી બેન્ચ બનશેઃ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરી પર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...
Ayodhya hearing: Appropriate Bench to pass further orders on Jan 10, says SC

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનની માલિકીના વિવાદ પરના કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ જજની નવી બેન્ચની રચના કરવા માટે સુનાવણી ૧૦ જાન્યુઆરી પર હવે મુકરર કરી છે. આ કેસની આગામી ૧૦ જાન્યુઆરીએ શરૂ થનારી નવેસરથી સુનાવણીમાં કેસની આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

૧૦ જાન્યુઆરી પહેલાં આ કેસ માટે નવી બેન્ચની રચના કરવામાં આવશે. આજેે સવારે રામમંદિરના નિર્માણ અંગે દાખલ થયેલી વિવિધ પિટિશનો પર સુનાવણી શરૂ થઇ હતી. હવે નવી બેન્ચ જ નક્કી કરશે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવી જોઇએ કે નહીં. આ કેસ હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. હવે આ બેન્ચ તેને યોગ્ય બેન્ચને રિફર કરશે. નવી બેન્ચ જ તેના પર આગામી સુનાવણી નક્કી કરશે.

રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન (ટાઈટલ) વિવાદના કેસમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી શરૂ કરી હતી. આ કેસ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એ પીઆઈએલ પર પણ સુનાવણી કરશે, જેમાં કેસમાં વિલંબ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેસની સુનાવણીની તારીખ અને બેન્ચ પર નિર્ણય કરવાની વાત જણાવી હતી. એ જ દિવસે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની સુનાવણી રોજેરોજ હાથ ધરાય.

ચીફ જસ્ટિસ ગોગોઈ અને જસ્ટિસ કૌલની બેન્ચ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર, ર૦૧૦ના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી ૧૪ અપીલ પર સુનાવણી માટે ત્રણ સભ્ય જજની બેન્ચ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં ર.૭૭ એકર જમીનની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ર૯ ઓક્ટોબરે જણાવ્યું હતું કે આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેન્સ સમક્ષ મૂકવામાં આવશે, જે તેની સુનાવણીનો કાર્યક્રમ પણ નક્કી કરશે.

બાદમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ આગળ કરવાની વિનંતી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે આ વાતનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમે જણાવ્યું હતું કે ર૯ ઓક્ટોબરે જ આ કેસની સુનાવણી અંગે ચુકાદો આપી દેવામાં આવ્યો છે.

આ અગાઉ ર૭ સપ્ટેમ્બરે તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે ર-૧ના બહુમતથી ૧૯૯૪ના એક ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણી પાંચ જજની બેન્ચ સમક્ષ નવેસરથી વિચાર કરવા માટે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. આ ચુકાદામાં એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે મસ્જિદ ઈસ્લામનું અભિન્ન અંગ નથી.

ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી એવા સમયે હાથ ધરાઈ રહી છે જ્યારે લોસકભા ચૂંટણી આડે થોડા મહિના જ રહ્યા છે અને કેન્દ્રની મોદી સરકાર પર હિન્દુ સમાજ ઉપરાંત દેશના સાધુ-સંતોનું રામમંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા ભારે દબાણ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગદળ સહિતના સંગઠનો એકથી વધુ વખત મંદિર નિર્માણ માટે સરકારને ચીમકી આપી ચૂક્યા છે, પરંતુ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રામમંદિર માટે વટહુકમ લાવવામાં આવશે નહીં. આ અંગેનો નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ જ લેવામાં આવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here