Thursday, June 25, 2026
HomeAhmedabadવ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતા બુટલેગરે ખંડણીની કરેલ માંગ

વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતા બુટલેગરે ખંડણીની કરેલ માંગ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બુટલગેર સંજય વ્યાસ સામે નારાજ ૨૫થી વધારે વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલાની પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા

અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરના ઉસ્માનપુરા પાસે વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો એક શખ્સ હત્યા કર્યા બાદ જેલમાં ગયો હતો. જેલમાંથી પેરોલ મેળવીને બહાર આવ્યા બાદ શખ્સે વ્યંઢળો પાસેથી ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનું ચાલું કરતા વ્યંઢળો આજે આ માથા ભારે શખ્સ સામે ભૂખ હડતાલ પર ઉતર્યા છે. પોસ્ટર બેનર લગાવીને આ વ્યંઢળો દિલ્હી ચકલા પાસે હડતાળ પર ઉતરતા લોકો તેમને જોવા રસ્તા પર રોકાઇ ગયા હતા. વ્યંઢળોની આ પ્રકારે ન્યાય માટેની હડતાળને જાઇ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આ સંદર્ભે આરોપી સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યંઢળોએ જાણ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ વાડજ વિસ્તારમાં હત્યા કરનાર આરોપી સંજય વ્યાસ નામનો શખ્સ તાજેતરમાં પેરોલ પર બહાર આવ્યો છે. આ શખ્સ અગાઉ ઉસ્માનપુરા પાસે આવેલી ચાંપાનેર સોસાયટી નજીક કામીની દે નામના વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો હોવાનો આક્ષેપ હડતાલ પર ઉતરેલા વ્યંઢળોએ કર્યો છે. સંજય વ્યાસ જ્યારે પણ જેલની બહાર આવે ત્યારે તે વ્યંઢળોને ધમકી આપીને તેમની પાસે રૂપિયા પડાવે છે. સંજય વ્યાસ સામે આજે ૨૫ થી વધુ વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલા પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. વ્યંઢળોએ આક્ષેપ કર્યો છે કે, તે અમારી પાસે કોર્ટ ખર્ચના રૂપિયા માંગે છે, અને અમને ધમકી આપે છે.આ સંદર્ભે એક વ્યંઢળે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. સંજય વ્યાસે વ્યંઢળોને રૂપિયા ન આપે તો તેઓને શહેરમાં ક્યાંય ભિક્ષાવૃત્તિ કરવા નહી દે તેવી ધમકી આપી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી આરોપી બુટલેગર વિરૂધ્ધ કરવામાં આવે તેવી માંગ પણ વ્યંઢળો દ્વારા કરવામાં આવી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here