સેન્ટ્રલ IB એ કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારને રિપોર્ટ ,ગુજરાતની તમામ રથયાત્રાઓ ન યોજવા આદેશ

0
16
રથયાત્રા યોજાશે તો કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતા વધી જશે,સેન્ટ્રલ આઇબીએ કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારને પણ રિપોર્ટ સોંપ્યો.
રથયાત્રા યોજાશે તો કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતા વધી જશે,સેન્ટ્રલ આઇબીએ કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારને પણ રિપોર્ટ સોંપ્યો.

અમદાવાદ : કોરોનાની બીજી લહેર હવે શાંત થતા  રાજ્યમાં લગભગ તમામ પ્રકારની છુટછાટ મળી ગઇ છે. ત્યારે હવે અમદાવાદની જગવિખ્યાત ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે યોજવામાં આવે તે માટે રાજકીય નેતાઓ નિવેદન કરવા લાગ્યા છે કે પ્રજાની લાગણી છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવે.જેમાં રથયાત્રાના રૂટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કરફ્યું જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળી શકે. પંરતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) એ  આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે.જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહી પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જુન બાદ જાહેરાત કરી શકે છે.ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા  માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે.જેમાં ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો  પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.તો જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને  બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.રિપોર્ટમાં રાજ્યમાં અન્ય શહેરોમા યોજાનારી રથયાત્રાઓને ચાલુ વર્ષે ન યોજવા માટે તાકીદ કરવામાં આવી છે.  સાથેસાથે જન્માષ્ટમીનો મેળો કે અન્ય તહેવારોની ઉજવણી ન કરવા માટે  સુચિત કરાયા છે.આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજી લહેર બાદ આપવામાં આવેલી છુટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને  કોવિડ 19ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ઘાર્મિક સ્થળોમાં જ સૌથી વધારે ભીડભાડ જોવા મળે છે. તો ગુજરાતમાં થયેલી ટોપલા ઉજવણીની મહિલાઓની ભીડ, જન્મ દિવસની પાર્ટીઓ અને લગ્ન મંડપમાં નિયત મર્યાદા કરતા વધારે આવતા લોકોની માહિતી પણ ઉમેરવામાં આવી છે.તો ઇન્ડિયન મેડીકલ એસોશીએનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભુલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે. આમ, હવે રિપોર્ટને આધારે રાજ્ય સરકારને નિર્ણય લઇ શકશે. તો સાથેસાથે કેન્દ્ર સરકાર પણ રિપોર્ટના આધારે રાજ્યની રથયાત્રાનો નિર્ણય લઇ શકે છે.અમદાવાદ મેડીકલ એસોશીએને જણાવ્યું કે દેશમાંથી હજુ કોવિડ ગયો નથી અને જે રીતે તબક્કાવાર કોરોના વાયરસના વેરિયન્ટ બદલાઇ રહ્યા છે. તે જોતા ત્રીજી સંભવિત ત્રીજી લહેરનું જોખમ પણ રહેલું છે. જ્યારે બીજી લહેરમાં સમગ્ર દેશમાં તબાહી જેવો માહોલ થઇ ગયો હતો. જેથી રથયાત્રાને કોવિડ પ્રોટોકોલની ગાઇડલાઇન મુજબ યોજવી શક્ય જ નથી કારણ કે યોગ્ય વેક્સીનેશન,. માસ્ક, સેનીટાઇઝેશન, સોશિયસ ડીસ્ટન્ટસીંગ વગેરેનું પાલન  કરવું અઘરૂ થઇ પડે તેમ છે.જો રથયાત્રા યોજવામાંઆવે તો ત્યારબાદ આવતા અન્ય તહેવારોમાં પણ લોકો  ત્યાં પણ ઉજવણીની માંગણી કરી શકે છે. ત્યારે અમદાવાદ મેડીકલ એસોશીએશન દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હજુ એક વર્ષ સુધી આ પ્રકારની કોઇ ઉજવણી ન કરવી જોઇએ. કારણ કે છુટછાટ માટે 100 ટકા વેક્સીનેશન, નવા વેરીયેન્ટની સ્થિતિને પણ ધ્યાન લેવી જરૂરી છે.  માટે ઇન્ડિયન મેડીકલ એસોશીએશન દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે વાકેફ કર્યા છે.