​​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી ‘અમિત શાહ’ અમદાવાદમાં :અમદાવાદ-ગાંધીનગરને જોડતો 1.5 કિ.મી. લાંબો વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર

0
24
અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, દૈનિક 1 લાખ વાહનચાલકોને થશે ફાયદો
અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, દૈનિક 1 લાખ વાહનચાલકોને થશે ફાયદો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે. અમદાવાદથી ગાંધીનગર રોજ અંદાજે 1 લાખ વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે હવે રૂ.28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા આ ફ્લાઇ-ઓવર બ્રિજથી ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. લોકાર્પણ સમયે અમિત શાહની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. આ ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાઇ-ઓવર બ્રિજનું ઉદઘાટન પણ કરશે. સવારથી બંને ફ્લાઇ-ઓવર બ્રિજના ઉદઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છારોડી એસજીવીપી ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.અમિત શાહે જણાવ્યું હતું કે કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયને કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે, કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાઇ-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર-અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આજથી શરૂ થયો છે, જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાઇ-ઓવરબ્રિજનું પણ ઉદઘાટન કરવામાં આવશે.