Friday, June 26, 2026
HomeGujaratAhmedabadફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં...

ફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં 537 પુત્રને,97 પુત્રીને કિડનીનું દાન આપી બચાવી જિંદગી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ: માતા-પિતા બાળકને જન્મ આપીને જીવન આપતાં હોય છે તેમ જ માતા બાળકનું લાલન-પાલન જ્યારે પિતા બાળક માટે સમય અને નાણાંની પરવા કર્યા વિના ઉછેર કરતા હોય છે, પરંતુ રાજ્યનાં 634 પિતાએ પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું છે. 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાનમાં પિતાએ 537 દીકરા જ્યારે 97 દીકરીને પોતાની કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. જ્યારે 9-9 દીકરા દીકરીએ પોતાની કિડની આપીને પિતાને નવજીવન આપ્યું છે.સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલ(આઈકેડીઆરસી)ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, કિડની ફેલ્યોરના દર્દીને જ્યારે બંને કિડની ફેઇલ થઇ જાય તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય હોય છે, જેમાં દર્દીને માતા-પિતા, ભાઇ, બહેન કે પત્ની પોતાની એક કિડનીનું દાન કરીને નવજીવન આપતાં હોય છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં 8થી 10 વર્ષમાં 634 જેટલાં પિતાએ પોતાના દીકરા-દીકરીને કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. કિડની ફેલ્યોરના દર્દીને પરિવારજન તરફથી કિડની ન મળે કે મેચિંગ ન થાય ત્યારે કેડેવર કિડનીદાન જ એક માત્ર ઉપાય હોય છે. તેમાં ઘણીવાર લાંબો સમય રાહ પણજોવી પડતી હોય છે, પરંતુ 634 પિતાએ કિડની ફેલ્યોરને કારણે મોતના મુખમાં ધકેલાયેલા તેમના સંતાનોને કિડનીનું દાન કરીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું છે.જૂન માસનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે, આ દિવસે દીકરા-દીકરી પિતાને અવનવી કે સરપ્રાઇઝ ભેટ આપે છે. ત્યારે એક દીકરો લિવરના રોગથી પીડાતા પિતાના જીવતદાન માટે પોતાનું લિવર દાન કરશે. એટલું જ નહીં, દીકરો પોતે મેદસ્વિ હોવાથી લિવરનું દાન કરી શકે તેમ ન હોવાથી પિતાને લિવર દાન કરવા માટે તેણે 8 કિલો વજન ઘટાડ્યુું છેકિડની હોસ્પિટલના પ્રોફેસર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો.પ્રાંજલ મોદી જણાવે છે કે, 20મી જૂન-રવિવારે ફાધર્સ ડે પર એક પુત્રના લિવર ટ્રાન્સપ્લાન્ટથી પિતાને નવજીવન મળશે. દર્દીનું લિવર 2017થી ખરાબ થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન કોઇ કેડેવર મળ્યું ન હતુું. દર્દીના પરિવારમાં એક ભાઇ-બહેન અને એક દીકરો-દીકરી છે, જેમાં દીકરી અને ભાઇ અમેરિકા રહે છે, જ્યારે બહેન ડાયાબિટીસની દર્દી હોવાથી લિવર દાન કરી શકે તેમ નહોતી, એકમાત્ર દીકરો જ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે તેમ હતું. પરંતુ, તેનું વજન 97 કિલો હોઇ, મેદસ્વિતાને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં કોમ્પલિકેશનની શક્યતા રહે છે. જો કે, દીકરાએ 3 માસમાં 8 કિલો વજન ઘટાડી, લિવરનો એક ભાગ પિતાને આપશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here