Friday, August 14, 2026
HomeIndia14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી...

14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી શક્યતા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ હજી બાકી છે. લાંબા મનોમંથન બાદ ભાજપ, શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળ ફાળવવાના ફોર્મ્યુલા પર અંતે મહોર વાગી ગઈ છે. 14 ડિસેમ્બરે આ મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે. મહાયુતિ સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. હવે તમામની નજર મહાયુતિ ગઠબંધનના કેબિનેટ ગઠન પર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે મહાયુતિના નવા મંત્રીમંડળમાં મોટા નામો સામેલ કરવામાં આવશે. અર્થાત્ જે દિગ્ગજ નેતાઓએ પાછલી કેબિનેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે, તેમને આ વખતે સ્થાન મળશે નહીં. કારણકે, તેના લીધે વિપક્ષને પ્રહારો કરવાની તક મળે છે.

સ્વચ્છ છબીવાળા નેતાઓને મળશે સ્થાન :
મહારાષ્ટ્રના નવા રાજ્ય મંત્રીમંડળમાં સ્વચ્છ છબીવાળા ધારાસભ્યોને સ્થાન મળશે. વિવાદિત નેતાઓથી અંતર જાળવવામાં આવશે. એનડીએના કેન્દ્રીય હાઇકમાન્ડે આ મુદ્દે ભાર મૂકતાં કહ્યું છે કે, જૂના બળવાખોર મંત્રીઓને ફરીથી કેબિનેટમાં સામેલ કરવા નહીં.

આ મંત્રીઓ થઈ શકે છે બહાર :
શિવસેનના ત્રણ ટોચના મંત્રીઓને આ વખતે બહારનો રસ્તો બતાવી શકે છે. જેમાં એફડીએ અને જળ સંસાધન વિભાગના સંજય રાઠોડ, લઘુમતી અને માર્કેટિંગ વિભાગમાંથી અબ્દુલ સત્તાર અને આરોગ્ય વિભાગમાંથી તાનાજી સાવંતને પદ પરથી હટાવી શકાય છે.એનસીપી(અજિત પવાર જૂથ)માંથી દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશ્રીફને બહારનો રસ્તો બતાવી શકે છે. ભાજપમાંથી સુરેશ ખાડે (શ્રમ વિભાગ) અને વિજય કુમાર ગાવિત (આદિવાસી કલ્યાણ વિભાગ)ને મંત્રીમંડળમાંથી બહાર કરી શકે છે.

કેબિનેટમાં 43 મંત્રીઓને સ્થાન મળી શકે છે! :
મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં ત્રણ સહયોગીઓમાં ઘણાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 43 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. હજુ 40 પોર્ટફોલિયો ભરવાના બાકી છે. કેબિનેટ માટે ભાજપમાંથી 15, શિવસેના (શિંદે જૂથ)ના 10 અને એનસીપી(અજિત પવાર)ના 9 નામ રેસમાં છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here