Sunday, June 28, 2026
HomeIndia14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી...

14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી શક્યતા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ હજી બાકી છે. લાંબા મનોમંથન બાદ ભાજપ, શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળ ફાળવવાના ફોર્મ્યુલા પર અંતે મહોર વાગી ગઈ છે. 14 ડિસેમ્બરે આ મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે. મહાયુતિ સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. હવે તમામની નજર મહાયુતિ ગઠબંધનના કેબિનેટ ગઠન પર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે મહાયુતિના નવા મંત્રીમંડળમાં મોટા નામો સામેલ કરવામાં આવશે. અર્થાત્ જે દિગ્ગજ નેતાઓએ પાછલી કેબિનેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે, તેમને આ વખતે સ્થાન મળશે નહીં. કારણકે, તેના લીધે વિપક્ષને પ્રહારો કરવાની તક મળે છે.

સ્વચ્છ છબીવાળા નેતાઓને મળશે સ્થાન :
મહારાષ્ટ્રના નવા રાજ્ય મંત્રીમંડળમાં સ્વચ્છ છબીવાળા ધારાસભ્યોને સ્થાન મળશે. વિવાદિત નેતાઓથી અંતર જાળવવામાં આવશે. એનડીએના કેન્દ્રીય હાઇકમાન્ડે આ મુદ્દે ભાર મૂકતાં કહ્યું છે કે, જૂના બળવાખોર મંત્રીઓને ફરીથી કેબિનેટમાં સામેલ કરવા નહીં.

આ મંત્રીઓ થઈ શકે છે બહાર :
શિવસેનના ત્રણ ટોચના મંત્રીઓને આ વખતે બહારનો રસ્તો બતાવી શકે છે. જેમાં એફડીએ અને જળ સંસાધન વિભાગના સંજય રાઠોડ, લઘુમતી અને માર્કેટિંગ વિભાગમાંથી અબ્દુલ સત્તાર અને આરોગ્ય વિભાગમાંથી તાનાજી સાવંતને પદ પરથી હટાવી શકાય છે.એનસીપી(અજિત પવાર જૂથ)માંથી દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશ્રીફને બહારનો રસ્તો બતાવી શકે છે. ભાજપમાંથી સુરેશ ખાડે (શ્રમ વિભાગ) અને વિજય કુમાર ગાવિત (આદિવાસી કલ્યાણ વિભાગ)ને મંત્રીમંડળમાંથી બહાર કરી શકે છે.

કેબિનેટમાં 43 મંત્રીઓને સ્થાન મળી શકે છે! :
મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં ત્રણ સહયોગીઓમાં ઘણાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 43 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. હજુ 40 પોર્ટફોલિયો ભરવાના બાકી છે. કેબિનેટ માટે ભાજપમાંથી 15, શિવસેના (શિંદે જૂથ)ના 10 અને એનસીપી(અજિત પવાર)ના 9 નામ રેસમાં છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here